વડોદરાની ઓરસંગ નદી કિનારે માછીમારી કરતા આધેડને મગર ખેંચી ગયો
વડોદરાની ઓરસંગ નદી કિનારે માછીમારી કરતા આધેડને મગર ખેંચી ગયો
Published on: 05th July, 2026

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં ઓરસંગ નદીના કિનારે માછીમારી કરી રહેલા એક આધેડ પર મહાકાય મગરે હુમલો કર્યો. આ ઘટના પારાગામ પાસેથી પસાર થતી ઓરસંગ નદીના કાંઠે બની હતી, જ્યાં આધેડને મગર નદીના ઊંડા પાણીમાં ખેંચી ગયો. થોડીવાર બાદ આધેડનો મૃતદેહ કાંઠે આવ્યો, જેમાં તેમને છાતી અને બરડાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. આ ઘટના બાદ સ્થાનિકો દ્વારા નદી કિનારે માછીમારી પર કડક પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી રહી છે.