વડોદરા કોર્ટ: પતિના મૃત્યુ બાદ ભરણપોષણ ચૂકવવા સાસુ-સસરા, જેઠ જવાબદાર નથી.
વડોદરા કોર્ટ: પતિના મૃત્યુ બાદ ભરણપોષણ ચૂકવવા સાસુ-સસરા, જેઠ જવાબદાર નથી.
Published on: 20th May, 2026

વડોદરામાં પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળીને એક મહિલાએ ઘરેલુ હિંસા (ડોમેસ્ટિક વાયોલન્સ)ની ફરિયાદ દાખલ કરી હતી. જો કે, આ કેસની સુનાવણી ચાલી રહી હતી, ત્યારે જ તેના પતિનું મૃત્યુ થયું હતું. આ સ્થિતિમાં કોર્ટે મહિલાની સુરક્ષા માટે પ્રોટેક્શન ઓર્ડર જાહેર કર્યો છે, પરંતુ ભરણપોષણની માંગણી પર ચુકાદો આપતા સ્પષ્ટ નોંધ્યું છે કે પતિના અવસાન બાદ સાસુ, સસરા કે જેઠ ભરણપોષણ ચૂકવવા માટે કાયદાકીય રીતે જવાબદાર નથી.