અખંડાનંદ આયુર્વેદિક હોસ્પિટલ નારોલમાં વિશાળ નવા કેમ્પસમાં વિસ્તરણ કરશે
અખંડાનંદ આયુર્વેદિક હોસ્પિટલ નારોલમાં વિશાળ નવા કેમ્પસમાં વિસ્તરણ કરશે
Published on: 17th September, 2026

અમદાવાદના લાલદરવાજા સ્થિત 61 વર્ષ જૂની અખંડાનંદ આયુર્વેદિક કોલેજ-હોસ્પિટલ હવે નારોલમાં અત્યાધુનિક કેમ્પસમાં વિસ્તરશે. 89.19 કરોડના ખર્ચે 51652 ચોરસ મીટર વિસ્તારમાં 32199 ચોરસ મીટર બાંધકામ ધરાવતું આ વિશાળ કેમ્પસ 200 બેડની હોસ્પિટલ, કોલેજ, સ્ટડી સેન્ટર અને હર્બલ ગાર્ડન જેવી સુવિધાઓથી સજ્જ હશે. ભવિષ્યમાં હોસ્ટેલ અને આયુર્વેદિક નર્સરી પણ બનાવવામાં આવશે. આયુષ ડિરેક્ટર ડો. જયેશ પરમારે જણાવ્યું કે, અહીં વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન સાથે ઔષધી વનસ્પતિનું વિતરણ પણ કરાશે.