સ્વસ્થ જીવનશૈલી અને પ્રાકૃતિક ખેતી: કિચન ગાર્ડન માટે રોપાઓનું વિતરણ અને ‘મારું ઘર, મારું ખેતર’નો સંકલ્પ
સ્વસ્થ જીવનશૈલી અને પ્રાકૃતિક ખેતી: કિચન ગાર્ડન માટે રોપાઓનું વિતરણ અને ‘મારું ઘર, મારું ખેતર’નો સંકલ્પ
Published on: 11th June, 2026

નાગરિકોમાં સ્વસ્થ જીવનશૈલી, આત્મનિર્ભરતા અને પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ લાવવા વોર્ડ નં. 14 અને 15માં શાકભાજીના રોપાઓ અને કિચન ગાર્ડન અંગે માહિતીપ્રદ સ્ટીકર્સનું નિઃશુલ્ક વિતરણ કરાયું. આ અભિયાનનો હેતુ શહેરી પરિવારોને ઘરમાં, બાલ્કનીમાં કે ટેરેસ પર શાકભાજી ઉગાડવા પ્રોત્સાહિત કરવાનો છે, જેથી તેઓ તાજું, શુદ્ધ અને ઓર્ગેનિક શાકભાજી મેળવી શકે. ‘મારું ઘર, મારું નાનું હાથવગું ખેતર’ વિચાર સાથેનો આ પ્રયાસ પર્યાવરણ, આરોગ્ય અને આત્મનિર્ભરતામાં યોગદાન આપશે.