સાબરકાંઠામાં ચાંદીપુરા વાઈરસનો કહેર!
સાબરકાંઠામાં ચાંદીપુરા વાઈરસનો કહેર!
Published on: 10th July, 2026

સાબરકાંઠામાં ચાંદીપુરા વાઈરસનો ભરડો યથાવત છે. છેલ્લા 14 દિવસમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 7 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાં 5 બાળકોના મોત થયા છે. આ પૈકી એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે એકનો નેગેટિવ અને ત્રણના રિપોર્ટ પેન્ડિંગ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્યની ટીમો દ્વારા સર્વે હાથ ધરાયો છે અને શંકાસ્પદ દર્દીઓ માટે અલગ વોર્ડ બનાવવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.