અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અન્નનળી વગર જન્મેલા બાળકને સફળ સર્જરીથી મળ્યું નવજીવન
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અન્નનળી વગર જન્મેલા બાળકને સફળ સર્જરીથી મળ્યું નવજીવન
Published on: 02nd August, 2026

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 'પ્યોર ઈસોફેજિયલ એટ્રેસિયા' નામની જટિલ જન્મજાત ખામી સાથે જન્મેલા 2.5 વર્ષના બાળક મંતવ્ય પર સફળ 'ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી' કરવામાં આવી. આ સર્જરી દ્વારા બાળકના પેટ (હોજરી)માંથી નવી અન્નનળી બનાવવામાં આવી, જેના કારણે બાળક હવે મોઢેથી ખોરાક લઈ શકે છે. તબીબોની નિષ્ણાત ટીમે આ અત્યંત જટિલ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું. આ પ્રકારની ખામી 2,500 થી 4,000 માંથી એક બાળકમાં જોવા મળે છે, અને સિવિલ હોસ્પિટલમાં આ નિઃશુલ્ક સર્જરી કરવામાં આવી.