અમદાવાદમાં ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક વધારો
અમદાવાદમાં ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક વધારો
Published on: 17th September, 2026

અમદાવાદ શહેરમાં ચોમાસાની સિઝનમાં ડેન્ગ્યુ, વાયરલ ફીવર, સ્વાઈન ફ્લૂ અને અન્ય મચ્છરજન્ય રોગોનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. અસારવા અને સોલા સિવિલ હોસ્પિટલો સહિત ખાનગી ક્લિનિકોમાં દર્દીઓની ભારે ભીડ જાેવા મળી રહી છે. માત્ર ૧૬ દિવસમાં ડેન્ગ્યુના ૧૫૬ કેસ નોંધાયા છે, જ્યારે વાયરલ ફીવરના ૪૨૦ નવા દર્દીઓની સારવાર કરવામાં આવી છે. સ્વાઈન ફ્લૂના શંકાસ્પદ કેસોમાં પણ વધારો જાેવા મળ્યો છે. આરોગ્યતંત્ર દ્વારા રોગચાળાને કાબૂમાં લેવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.