ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર
Published on: 11th August, 2026

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત રહ્યો છે, જેમાં મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની 7 વર્ષીય બાળકીનું વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું. બાળકીના ચાંદીપુરા વાયરસ પોઝિટિવ રિપોર્ટ બાદ આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આસપાસના વિસ્તારોમાં તાત્કાલિક સર્વેલન્સ શરૂ કરાયું છે. બાળકીની અચાનક તબિયત લથડતાં પરિવારજનોએ તેને SSG હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ હતી. રાજ્યમાં વધુ એક મોતથી ભયનો માહોલ સર્જાયો છે.