રાજકોટ લોકમેળામાં ફૂડ વિભાગની સઘન કાર્યવાહી
રાજકોટ લોકમેળામાં ફૂડ વિભાગની સઘન કાર્યવાહી
Published on: 07th September, 2026

રાજકોટના પ્રસિદ્ધ જન્માષ્ટમી લોકમેળામાં મુલાકાતીઓના આરોગ્યની સુરક્ષા માટે ફૂડ વિભાગે કડક ઝુંબેશ ચલાવી. 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન ફૂડ વિભાગે ખાદ્ય સ્ટોલ અને ફેરિયાઓનું સઘન ચેકિંગ કર્યું. આ તપાસમાં વાસી બટેટા, વારંવાર વપરાયેલું દાઝેલું તેલ, સડેલા શાકભાજી, અશુદ્ધ પાણી સહિત અંદાજે 417 કિલો અખાદ્ય ખોરાક જપ્ત કરી તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. નિયમભંગ કરનાર વેપારીઓ પાસેથી 15,750 રૂપિયાનો વહીવટી દંડ પણ વસૂલવામાં આવ્યો.