સુરત નવી સિવિલમાં ઐતિહાસિક ૧૦૦મું અંગદાન: ખેતમજૂર પરિવારે ત્રણને આપ્યું નવજીવન
સુરત નવી સિવિલમાં ઐતિહાસિક ૧૦૦મું અંગદાન: ખેતમજૂર પરિવારે ત્રણને આપ્યું નવજીવન
Published on: 07th September, 2026

સુરતની નવી સિવિલ હોસ્પિટલે અંગદાન ક્ષેત્રે ૧૦૦મી ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. શ્રાવણ સોમવારે, નવસારીના ખેતમજૂર ભલાભાઈ હળપતિના પરિવારે દુઃખની ઘડીમાં પણ અંગદાન કરવાનો સંવેદનશીલ નિર્ણય લીધો. તેમના દાનથી ૨ કિડની અને ૧ લિવર જરૂરિયાતમંદ દર્દીઓને મળતાં ત્રણ વ્યક્તિઓને નવું જીવન મળ્યું. રાજ્ય આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પરિવારને સાંત્વના પાઠવી અને આ ઉમદા કાર્યને બિરદાવ્યું. આ અંગદાન સમાજ માટે પ્રેરણારૂપ છે.