યુ.એન. દ્વારા ભારતના બે શહીદો અને મેજર અભિલાષા બરાકને સર્વોચ્ચ શાંતિ સન્માન
યુ.એન. દ્વારા ભારતના બે શહીદો અને મેજર અભિલાષા બરાકને સર્વોચ્ચ શાંતિ સન્માન
Published on: 29th May, 2026

સંયુક્ત રાષ્ટ્ર 'આંતરરાષ્ટ્રીય શાંતિ રક્ષક' દિવસે ભારતના બે વીર જવાનોને મરણોત્તર સર્વોચ્ચ સન્માન 'દાગ-હેમરશુલ્ડ' મેડલથી નવાજવામાં આવ્યા. લાંસ હવાલદાર હરભજનસિંઘે ડેમોક્રેટિક રીપબ્લિક ઓફ કોંગોમાં અને નાયબ સુબેદાર સુજિતકુમાર પ્રધાને દક્ષિણ સુદાનમાં યુ.એન. મિશન દરમિયાન ફરજ બજાવતા શહીદી વહોરી હતી. ભારતીય સેનાની પહેલી કોમ્બેટ એવિએટર મેજર અભિલાષા બરાકને પણ આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યો છે, જેણે ભારતની વૈશ્વિક છબી ઉજાળી છે.