જામનગરમાં નગીના મસ્જિદ ચોક ખાતે સામાન્ય બોલાચાલી બાદ યુવક પર છરી વડે હુમલો
જામનગરમાં નગીના મસ્જિદ ચોક ખાતે સામાન્ય બોલાચાલી બાદ યુવક પર છરી વડે હુમલો
Published on: 13th July, 2026

જામનગરના નગીના મસ્જિદ ચોક વિસ્તારમાં સામાન્ય બોલાચાલી બાદ એક યુવાન પર છરી વડે હુમલો કરાયો છે. ઘાયલ યુવાનની પત્નીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. complaint મુજબ, 11 જુલાઈના રોજ બપોરે પ્રકાશભાઈ સવજીભાઈ સોલંકી નગીના મસ્જિદ ચોક ખાતે ગયા હતા, જ્યાં રાહુલ અશોકભાઈ મહેતા સાથે અથડામણ થતાં ઝઘડો થયો. આરોપીએ ગાળો આપી, માર માર્યા બાદ પ્રકાશભાઈ પર છરી વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી. આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો. ઘાયલને જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે IPC અને હથિયારબંધીના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.