બાંગ્લાદેશી વિપક્ષની ભારત પાસે માફીની માંગ!
બાંગ્લાદેશી વિપક્ષની ભારત પાસે માફીની માંગ!
Published on: 29th June, 2026

બાંગ્લાદેશના વિપક્ષી દળ નેશનલ સિટીઝન્સ પાર્ટી (NCP) ના નિવેદનને કારણે ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં તણાવ વધવાની આશંકા છે. NCP સાંસદ નાહિદ ઇસ્લામે ભારત પર છેલ્લા 16 વર્ષથી આવામી લીગને સત્તામાં ટકાવી રાખવા મદદ કરવાનો આરોપ લગાવી બાંગ્લાદેશી જનતાની માફી માંગવાની માંગ કરી છે. તેમણે ભારતીય સરહદ સુરક્ષા દળ (BSF) પર નાગરિકોની હત્યા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી પર આકરી ટિપ્પણી કરી છે. આ ઘટના ભારતના નવા હાઇકમિશનર દિનેશ ત્રિવેદીની નિમણૂક અને પ્રવાસી વિઝા સેવાઓ ફરી શરૂ કરવાની જાહેરાતના સમયે સામે આવી છે.