ટર્બ્યુલન્સ બાદ એર ઇન્ડિયા પાઇલટનો ડોપ ટેસ્ટ: શું આવ્યો રિપોર્ટ?
ટર્બ્યુલન્સ બાદ એર ઇન્ડિયા પાઇલટનો ડોપ ટેસ્ટ: શું આવ્યો રિપોર્ટ?
Published on: 09th August, 2026

ફુકેટથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2379 માં થયેલા ભારે ટર્બ્યુલન્સ બાદ હવે એક નવો વળાંક આવ્યો છે. DGCA આ ઘટના હવામાનને કારણે હતી કે અન્ય કોઈ કારણ, તેની તપાસ કરી રહ્યું છે. 4 ઓગસ્ટના રોજ A320 વિમાન લગભગ 300 ફૂટ નીચે આવી ગયું હતું, જેના કારણે અનેક મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ ઈજાગ્રસ્ત થયા હતા. તાજેતરમાં, દિલ્હી પહોંચ્યા પછી પાઇલટનો ડોપ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, કેપ્ટનના ટેસ્ટમાં psychoactive substance મળી આવવાની શક્યતા છે, જોકે એર ઇન્ડિયાએ હજુ સુધી આ રિપોર્ટની પુષ્ટિ કરી નથી.