શ્રેયસ અય્યર T20 કેપ્ટન બનતા કહ્યું, "કોઈની છાયામાં નહીં રહેવું"
શ્રેયસ અય્યર T20 કેપ્ટન બનતા કહ્યું, "કોઈની છાયામાં નહીં રહેવું"
Published on: 08th June, 2026

ભારતીય T20 ટીમના નવા કેપ્ટન શ્રેયસ અય્યરે સ્પષ્ટ કર્યું છે કે તેઓ પોતાની આગવી શૈલીમાં ટીમનું નેતૃત્વ કરશે અને કોઈની છાયામાં રહીને કામ કરવા માંગતા નથી. તેમણે જણાવ્યું કે કેપ્ટનશિપ તેમના માટે ગૌરવની વાત છે, પરંતુ તેઓ પોતાના મૂળ વ્યક્તિત્વમાં કોઈ ફેરફાર કરશે નહીં. મુંબઈમાં યોજાયેલા કાર્યક્રમમાં, અય્યરે કહ્યું કે તેમને કેપ્ટનની જવાબદારી મળી છે, જે એક શાનદાર પડકાર છે. તેઓ કોઈની જેમ બનવાનો પ્રયાસ નહીં કરે અને પોતાની ઓળખ જાળવી રાખશે. આ નિવેદનને ભારતીય ક્રિકેટમાં પોતાની સ્વતંત્ર ઓળખ સ્થાપિત કરવાના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.