રામ મંદિર દાન ચોરી કેસ: જેલમાં બંધ આરોપીઓએ જણાવ્યું ચોરીનું રહસ્ય
અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસ 2026 માં, તપાસ એજન્સીઓ સક્રિય થઈ છે. જેલમાં બંધ આરોપીઓની પૂછપરછમાં ચોરીની પદ્ધતિ, રકમ છુપાવવાના સ્થળો અને સુરક્ષા વ્યવસ્થાની ખામીઓ અંગે અનેક ખુલાસા થયા છે. સીસીટીવીથી બચવા માટે માનવ કવચ અને બાથરૂમનો ઉપયોગ જેવી ચોંકાવનારી પદ્ધતિઓ સામે આવી છે. આરોપીઓએ કબૂલ્યું કે તેઓ ગણતરી સમયે નોટોના બંડલ સરકાવી લેતા અને તેને મંદિર પરિસરના બાથરૂમમાં છુપાવી દેતા. બેંક ઓફ બરોડાએ સ્પષ્ટ કર્યું છે કે તેમની ભૂમિકા માત્ર ઓનલાઈન દાન સુધી મર્યાદિત છે. પોલીસે મુખ્ય આરોપીઓના ખાતાની વિગતો મેળવી છે અને ટ્રસ્ટ સાથે જોડાયેલા અનિલ મિશ્રાની ભૂમિકાની પણ તપાસ ચાલી રહી છે.
રામ મંદિર દાન ચોરી કેસ: જેલમાં બંધ આરોપીઓએ જણાવ્યું ચોરીનું રહસ્ય
બ્રેક ફેલ ટ્રેલરે મચાવી તબાહી, 12 વાહનો અથડાયા, 20થી વધુને ઈજા
ઝારખંડના રામગઢ જિલ્લામાં NH-33 પર ચુટ્ટૂપાલૂ ઘાટીમાં ટ્રેલરની બ્રેક ફેલ થતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. કાબૂ ગુમાવેલા ટ્રેલરે કાર, કન્ટેનર સહિત 12 વાહનોને ટક્કર મારતાં 20થી વધુ લોકો ઘાયલ થયા, જેમાં કેટલાકની હાલત ગંભીર છે. પોલીસે અને સ્થાનિક લોકોએ રાહત કામગીરી કરીને ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા. અકસ્માત બાદ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે પ્રાથમિક કારણ બ્રેક ફેલ હોવાનું જણાવી વધુ તપાસ શરૂ કરી છે.
બ્રેક ફેલ ટ્રેલરે મચાવી તબાહી, 12 વાહનો અથડાયા, 20થી વધુને ઈજા
વોટ્સઅપના યુઝરનેમ ફીચર પર ભારત સરકારની નોટિસ, 'હોલ્ડ' કરવાનો આદેશ
વોટ્સઅપના નવા 'યુઝરનેમ' ફીચર સામે ભારતે કડક વલણ અપનાવ્યું છે. સરકારે તેની પેરેન્ટ કંપની મેટાને નોટિસ મોકલી, આ ફીચરનું લોન્ચિંગ હાલ પૂરતું 'હોલ્ડ' પર રાખવા અથવા અટકાવી દેવા આદેશ કર્યો છે. સરકાર સાથે સંપૂર્ણ ચર્ચા ન થાય ત્યાં સુધી તેને લોન્ચ ન કરવા કહેવામાં આવ્યું છે. મેટા કંપનીને 3 દિવસમાં જવાબ આપવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. સરકાર આ ફીચરના સિક્યોરિટી અને પ્રાયવસી પાસાઓની બારીકાઈથી તપાસ કરી રહી છે.
વોટ્સઅપના યુઝરનેમ ફીચર પર ભારત સરકારની નોટિસ, 'હોલ્ડ' કરવાનો આદેશ
ભારત પર વિદેશી દેવું વધ્યું, એક વર્ષમાં રૂ.2.18 લાખ કરોડનો વધારો!
ભારતનું કુલ વિદેશી દેવું માર્ચ 2026ના અંતે વધીને 762.8 અબજ ડોલર (આશરે ₹72.15 લાખ કરોડ) થયું છે. RBI મુજબ આ વધારો મુખ્યત્વે ખાનગી ક્ષેત્રની વધતી વિદેશી ઉધારીને કારણે થયો છે, જ્યારે સરકારનું દેવું ઘટ્યું છે. વિદેશી દેવું-GDP ગુણોત્તર 20.8 ટકા થયો છે અને ટૂંકા ગાળાના દેવામાં પણ વધારો નોંધાયો છે. જોકે લાંબા ગાળાના દેવાનું પ્રમાણ, ઘટેલો ડેટ સર્વિસિંગ રેશિયો અને મજબૂત વિદેશી મુદ્રા ભંડાર ભારત માટે રાહતરૂપ માનવામાં આવે છે.
ભારત પર વિદેશી દેવું વધ્યું, એક વર્ષમાં રૂ.2.18 લાખ કરોડનો વધારો!
સિંધુ જળ ઉપર પાક. ઉકળી ઊઠયું: બિલાવલ ભુટ્ટોએ ભારતને એટમબોમ્બની ધમકી આપી દીધી
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો જરદારીએ સિંધુ જળ સંધિ મુદ્દે ભારતને ધમકી આપતાં કહ્યું કે પાકિસ્તાનના જળ અધિકારો પર કોઈ પણ પ્રકારનો હુમલો દેશના અસ્તિત્વ પરનો હુમલો ગણાશે. તેમણે પાણી રોકવાના પ્રયાસોને પરમાણુ પ્રતિક્રિયાના કારણ તરીકે પણ ગણાવ્યા અને ગૌરવપૂર્ણ શાંતિની વાત કરી. બીજી તરફ, ભારતનું વલણ છે કે પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપતું હોવાથી સિંધુ જળ સંધિ સંબંધિત વિવાદ વધુ ગંભીર બન્યો છે.
સિંધુ જળ ઉપર પાક. ઉકળી ઊઠયું: બિલાવલ ભુટ્ટોએ ભારતને એટમબોમ્બની ધમકી આપી દીધી
ભારત આવતાં જહાજો હોર્મુઝમાં ગાયબ!
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ભારત આવતાં અનેક વેપારી જહાજો અને ઓઈલ ટેન્કરોએ ઈરાનના સંભવિત હુમલાના ભયથી હોર્મુઝ જળમાર્ગ પસાર કરતી વખતે પોતાની ટ્રેકિંગ સિસ્ટમ (AIS) બંધ રાખી છે. 'કેપ્લર'ના જણાવ્યા મુજબ 73માંથી 45 જહાજોએ 'ગોઈંગ-ડાર્ક' પદ્ધતિ અપનાવી હતી. ભારત સહિત અન્ય દેશોના જહાજો પણ ઓળખ અને રૂટ છુપાવી રહ્યા છે. અગાઉ મંજૂરી હોવા છતાં ભારતીય ઓઈલ ટેન્કર પર હુમલો થતાં દરિયાઈ સુરક્ષાને લઈને ચિંતા વધી છે.
ભારત આવતાં જહાજો હોર્મુઝમાં ગાયબ!
કેતનની હત્યારી સિયાનું નવું તરકટ, ચેતન સાથે પ્રેમાલાપ અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો
પુણેના ઉદ્યોગપતિ કેતન અગ્રવાલના લોહગઢ કિલ્લા પરથી પડવાથી થયેલા મોતને પોલીસે કાવતરાપૂર્વકની હત્યા ગણાવી છે. તપાસમાં સામે આવ્યું કે મંગેતર સિયા ગોયલ અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરીએ મળીને હત્યાની યોજના બનાવી હતી. બંને વચ્ચે હત્યા પહેલાં 2,004 કોલ અને 238 કલાક વાતચીત થઈ હતી તેમજ ઓનલાઈન હત્યાની રીતો પણ શોધી હતી. પોલીસે ડિજિટલ પુરાવા, ડિલીટ કરેલી ચેટ્સ અને ક્રાઈમ સીનના આધારે તપાસ તેજ કરી છે.
કેતનની હત્યારી સિયાનું નવું તરકટ, ચેતન સાથે પ્રેમાલાપ અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો
'કાલા હિરણ' ફિલ્મ વિવાદ: સલમાન ખાનના વકીલની આક્રમક દલીલો
'કાલા હિરણ' ફિલ્મ વિવાદ અંગે દિલ્હી હાઈકોર્ટમાં થયેલી સુનાવણીમાં સલમાન ખાનના 'પર્સનાલિટી રાઈટ્સ' ના ઉલ્લંઘનનો મામલો ચર્ચામાં આવ્યો. કોર્ટે ફિલ્મ મેકર્સ પાસેથી સોમવાર સુધી ફિલ્મ રિલીઝ ન કરવાની અને સેન્સર બોર્ડ (CBFC) પાસે સર્ટિફિકેશન માટે ન મોકલવાની ખાતરી લીધી. મેકર્સના વકીલે દલીલ કરી કે કેસ માત્ર એક પોસ્ટરના આધારે કરાયો છે, જ્યારે ફિલ્મ રિલીઝથી દૂર છે. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળીને આગામી સુનાવણી સોમવાર પર મુલતવી રાખી.
'કાલા હિરણ' ફિલ્મ વિવાદ: સલમાન ખાનના વકીલની આક્રમક દલીલો
વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ પહેલા થથડી ગઈ ઈંગ્લેન્ડની ટીમ?
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની T20 સિરીઝ પહેલાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી ચર્ચામાં છે. આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ પહેલાં જ તેની પ્રતિભાની ચર્ચા ઈંગ્લેન્ડના ડ્રેસિંગ રૂમ સુધી પહોંચી છે. ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રૂકે વૈભવને અસાધારણ ખેલાડી ગણાવી કહ્યું કે જો તે રમશે તો તેની સામે ખાસ વ્યૂહરચના અપનાવવામાં આવશે. IPLમાં શાનદાર પ્રદર્શન બાદ ટીમમાં સ્થાન મેળવનાર વૈભવના ડેબ્યૂ અંગે હજુ સસ્પેન્સ યથાવત છે, પરંતુ વિરોધી ટીમ તેની સામે સંપૂર્ણ તૈયારીમાં છે.
વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ પહેલા થથડી ગઈ ઈંગ્લેન્ડની ટીમ?
બેંગલુરુમાં હૃદય કંપાવનારી ઘટના: IT કંપનીના ડે-કેરમાં બાળકોને વૉશિંગ મશીનમાં નાંખ્યા
બેંગલુરુના એક જાણીતા IT પાર્કના ડે-કેર સેન્ટરમાં માસૂમ બાળકો પર અમાનવીય અત્યાચારનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સ્ટાફ બાળકોને સજા તરીકે વૉશિંગ મશીનમાં મૂકી ચાલુ કરતો અને અંધારા બાથરૂમમાં બંધ રાખતો હોવાના આક્ષેપો થયા છે. બાળકોના વર્તનમાં બદલાવ અને ઈજાના નિશાન બાદ CCTV ફૂટેજમાં સમગ્ર ઘટના સામે આવી હતી. વાલીઓની ફરિયાદને આધારે પોલીસે પાંચ આયાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
બેંગલુરુમાં હૃદય કંપાવનારી ઘટના: IT કંપનીના ડે-કેરમાં બાળકોને વૉશિંગ મશીનમાં નાંખ્યા
રામ મંદિર દાન ચોરી: પોલીસની રિકવરી લિસ્ટમાં ડોલર, સોનું, ચાંદી અને રોકડ
અયોધ્યાના રામ મંદિરમાં ચડાવા અને ચંદાની ચોરીના મામલે પોલીસ અને SITની ટીમે આરોપીઓના ઘરે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં લાખો રૂપિયાની રોકડ, અમેરિકી ડૉલર, સોના-ચાંદીના દાગીના અને કિંમતી ધાતુ મળી આવી છે. વિવિધ આરોપીઓ પાસેથી કુલ 20,39,220 રૂપિયાથી લઈને 1,00,000 રૂપિયા સુધીની રોકડ રિકવર થઈ છે, સાથે જ વિદેશી કરન્સી અને ચાંદીની ધાતુ પણ જપ્ત કરાઈ છે. આ વિવાદ વચ્ચે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની આગામી 6 જુલાઈએ બેઠક યોજાશે, જેમાં સંભવિત રાજીનામા અંગે નિર્ણય લેવાશે.
રામ મંદિર દાન ચોરી: પોલીસની રિકવરી લિસ્ટમાં ડોલર, સોનું, ચાંદી અને રોકડ
વૈભવ સૂર્યવંશી આજે ડેબ્યુ કરશે?
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ T20 મેચ પહેલાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીનો નેટ્સમાં સિક્સરો ફટકારતો વીડિયો વાયરલ થયો છે. આયર્લેન્ડ સામે તક ન મળ્યા બાદ હવે ખરાબ ફોર્મમાં રહેલા ભારતીય ઓપનર્સને કારણે તેના ડેબ્યૂની શક્યતા વધી છે. IPL 2026માં ઓરેન્જ કેપ જીતનાર અને અંડર-19 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર વૈભવને તક મળે તો તે ભારત માટે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારો સૌથી નાની ઉંમરનો પુરુષ ખેલાડી બની સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી શકે છે.
વૈભવ સૂર્યવંશી આજે ડેબ્યુ કરશે?
અમદાવાદમાં ED-CBI સેટિંગના નામે કરોડોની ઠગાઈ!
અમદાવાદમાં ED અને CBI જેવી કેન્દ્રીય એજન્સીઓમાં 'સેટિંગ' કરાવી આપવાના બહાને કરોડો રૂપિયા પડાવનાર મહાઠગ પિયુષકુમાર ઉર્ફે સુનિલ પટેલની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાઈ. આરોપીએ ED દ્વારા જપ્ત કરાયેલા રૂપિયા 11.90 કરોડ છોડાવવાની લાલચ આપી ફરિયાદી પાસેથી 3.98 કરોડ પડાવી લીધા. નાણાં સગેવગે કરવા 3.32 કરોડનો બોગસ લોન કરાર કર્યો. દેશ છોડી વનુઆતુ નાગરિકત્વ મેળવ્યું, ત્યારબાદ OCI કાર્ડ ધારક તરીકે ભારતમાં રહ્યો. તેનો મોટો ક્રિમિનલ ટ્રેક રેકોર્ડ છે, અને અનેક રાજ્યોમાં છેતરપિંડીના ગુના નોંધાયેલા છે.
અમદાવાદમાં ED-CBI સેટિંગના નામે કરોડોની ઠગાઈ!
TMC સાંસદ મહુઆ મોઇત્રા પર ઈંડા-રીંગણા ફેંકાયા, ભાજપ સમર્થકો પર કર્યો આક્ષેપ
ટીએમસી (TMC) સાંસદ મહુઆ મોઇત્રાએ ભાજપ (BJP) સમર્થકો પર ગંભીર આરોપ લગાવ્યો છે કે, તેમણે તેમની પાર્ટી ઓફિસ પર ઈંડા અને રીંગણ ફેંક્યા છે. આ ઘટના નાદિયા જિલ્લાના કાલીગંજમાં બની હતી. મોઇત્રાએ પોલીસ પર પણ ઘટનાસ્થળે મોડા પહોંચીને મૂકપ્રેક્ષક બની રહેવાનો આરોપ લગાવ્યો છે. આ મામલો કલકત્તા હાઈકોર્ટના ઈંડા ફેંકવાની ઘટનાઓ પર FIR નોંધવાના નિર્દેશ બાદ સામે આવ્યો છે. ભાજપ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.
TMC સાંસદ મહુઆ મોઇત્રા પર ઈંડા-રીંગણા ફેંકાયા, ભાજપ સમર્થકો પર કર્યો આક્ષેપ
WhatsApp User ID ફીચર: ફ્રોડ વધવાની ચિંતા, સરકાર કરશે તપાસ
WhatsApp દ્વારા નવા Username ફીચરને કારણે સુરક્ષાના પ્રશ્નો ઊભા થયા છે. મોબાઈલ નંબર વગર વાત કરવાની સુવિધા પ્રાઈવસી વધારશે તેવો દાવો હોવા છતાં, કેન્દ્ર સરકાર આ ફીચરની તપાસ કરી રહી છે. સરકારને ચિંતા છે કે આનાથી ઓનલાઈન ફ્રોડ અને ફેક આઈડીના કેસ વધી શકે છે, જે સાયબર ગુનેગારો માટે ફાયદાકારક બની શકે છે. મેટાને નોટિસ પણ મોકલી શકાય છે જો કોઈ ગંભીર ખામી જણાય. આ ફીચર ટેલિગ્રામ જેવું જ કામ કરશે.
WhatsApp User ID ફીચર: ફ્રોડ વધવાની ચિંતા, સરકાર કરશે તપાસ
ફતેગંજ બ્રિજ પર ટ્રાફિક જામમાં મહારાષ્ટ્રની બસ ઘૂસી, ૪ વાહનોનો કચ્ચરઘાણ
વડોદરાના ફતેગંજ બ્રિજ પર ટ્રાફિક જામ દરમિયાન એક વિચિત્ર અકસ્માત થયો, જેમાં ઓછામાં ઓછા ચાર વાહનોને ભારે નુકસાન થયું. અમદાવાદથી માલેગાવ જતી મહારાષ્ટ્ર પાસિંગની બસના ચાલક દ્વારા બ્રેક નિષ્ફળ જતાં બેકાબુ બસ પહેલા એક કારમાં અથડાઈ, જેના કારણે કારનો કચ્ચરઘાણ વળી ગયો અને એરબેગ્સ ખુલી ગઈ. ત્યારબાદ બસ બીજી કાર, એક ટેમ્પો અને અન્ય વાહનો સાથે અથડાઈ. આ ઘટનાને પગલે ફરી ટ્રાફિક જામ થયો અને પોલીસે કાર્યવાહી હાથ ધરી.
ફતેગંજ બ્રિજ પર ટ્રાફિક જામમાં મહારાષ્ટ્રની બસ ઘૂસી, ૪ વાહનોનો કચ્ચરઘાણ
IPLમાં અમ્પાયરિંગની ચોંકાવનારી કમાણી: અનિલ ચૌધરીનો મોટો ખુલાસો
પૂર્વ આંતરરાષ્ટ્રીય અમ્પાયર અનિલ ચૌધરીએ IPLમાં અમ્પાયરિંગની કમાણી વિશે ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે IPLની એક મેચમાં અમ્પાયરિંગ માટે 4000 US ડોલર, પ્લેઓફમાં 6000 ડોલર અને ફાઇનલમાં 8000 ડોલર મળે છે. એક IPL સીઝનમાંથી અમ્પાયર આશરે 45 થી 50 લાખ રૂપિયાની કમાણી કરી શકે છે. આંતરરાષ્ટ્રીય T20 મેચના 2 લાખ અને ટેસ્ટ મેચના 8 લાખ રૂપિયા મળે છે. તેમણે MS Dhoni ના DRS નિર્ણયોની પણ પ્રશંસા કરી.
IPLમાં અમ્પાયરિંગની ચોંકાવનારી કમાણી: અનિલ ચૌધરીનો મોટો ખુલાસો
RBI એ શેરબજાર અંગે ઉચ્ચારી ચેતવણી: AIનો ફૂગ્ગો ફૂટશે?
ગ્લોબલ માર્કેટમાં AI ને કારણે સર્જાયેલી અસ્થિરતા વચ્ચે RBI એ ભારતીય શેરબજાર માટે ચેતવણી જાહેર કરી છે. AI સંબંધિત શેરોના ઓવર-વેલ્યુએશન અને અમુક ચોક્કસ કંપનીઓ પર નિર્ભરતાને કારણે વૈશ્વિક સ્તરે અને અમેરિકન બજારમાં ઘટાડાનું જોખમ છે, જેની અસર ભારત પર પણ પડી શકે છે. ટેક કંપનીઓ દ્વારા AI માં કરવામાં આવી રહેલા મોટા રોકાણો અને લોન હવે ભવિષ્યમાં મુશ્કેલી ઊભી કરી શકે છે, જે બેંકો અને ફાયનાન્સ કંપનીઓને પણ અસર કરી શકે છે.
RBI એ શેરબજાર અંગે ઉચ્ચારી ચેતવણી: AIનો ફૂગ્ગો ફૂટશે?
ICC T20 રેન્કિંગમાં નંબર-1 નો તાજ ઈશાન કિશનના શિરે
ICCની નવી T20 રેન્કિંગમાં ભારતના વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશન પ્રથમ વખત વિશ્વના નંબર-1 T20 બેટ્સમેન બન્યા છે. તેમણે અભિષેક શર્માને પાછળ છોડીને આ સિદ્ધિ મેળવી છે. T20 વર્લ્ડ કપ અને આયરલેન્ડ સામેની શ્રેષ્ઠ બેટિંગના કારણે તેમને આ સ્થાન મળ્યું છે. ઈશાન હવે વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ અને અભિષેક શર્મા બાદ નંબર-1 બનનાર ચોથા ભારતીય બેટ્સમેન બન્યા છે. ટેસ્ટ રેન્કિંગમાં જસપ્રીત બુમરાહ ફરી વિશ્વના નંબર-1 બોલર બન્યા છે.
ICC T20 રેન્કિંગમાં નંબર-1 નો તાજ ઈશાન કિશનના શિરે
PM ઈલેક્ટ્રિક બસમાં સ્ટિયરિંગ છોડીને મોબાઈલમાં રીલ બનાવતો ડ્રાઇવરનો વિડીયો વાયરલ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઈલેક્ટ્રિક બસ સેવામાં ડ્રાઇવરની બેદરકારીનો વીડિયો વાયરલ થતાં વિવાદ સર્જાયો છે. વીડિયોમાં ડ્રાઇવર બસ ચલાવતી વખતે સ્ટિયરિંગ પર ધ્યાન આપવાને બદલે મોબાઈલમાં રીલ બનાવતો જોવા મળે છે, જેના કારણે મુસાફરોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં જાહેર પરિવહન તંત્રની કામગીરી પર પણ પ્રશ્નો ઉઠ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ જીવલેણ અકસ્માતનું કારણ બની શકે છે.
PM ઈલેક્ટ્રિક બસમાં સ્ટિયરિંગ છોડીને મોબાઈલમાં રીલ બનાવતો ડ્રાઇવરનો વિડીયો વાયરલ
વેનેઝુએલાથી ભારતીય નાવિકના શબના મગજ, હૃદય, ફેફસા સહિત મુખ્ય અંગો ગાયબ!
વેનેઝુએલામાં મર્ચન્ટ નેવી જહાજ પર ફરજ બજાવતા ઉત્તર પ્રદેશના રાકેશ ચૌહાન નામના ભારતીય નાવિકના મૃતદેહના પોસ્ટમોર્ટમ દરમિયાન આઘાતજનક ખુલાસો થયો છે. જ્યારે મૃતદેહ ભારત લાવવામાં આવ્યો, ત્યારે શરીરમાંથી મગજ, હૃદય, ફેફસા, લીવર, કિડની જેવા અનેક મુખ્ય આંતરિક અંગો ગાયબ મળી આવ્યા. પરિવારને શરૂઆતમાં નોકરી કરતી કંપની દ્વારા અલગ-અલગ કારણો જણાવી ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. અંગો ગુમ હોવાથી મૃત્યુનું સાચું કારણ જાણવું મુશ્કેલ બન્યું છે. પરિવારે આ સમગ્ર ઘટનામાં અંગ તસ્કરીની આશંકા વ્યક્ત કરી છે અને સવાલો ઉઠાવ્યા છે.
વેનેઝુએલાથી ભારતીય નાવિકના શબના મગજ, હૃદય, ફેફસા સહિત મુખ્ય અંગો ગાયબ!
રામ મંદિરમાં નોકરી માટે પણ કમિશનખોરી?
અયોધ્યા રામ મંદિરના દાનમાં થયેલી કથિત ગેરરીતિની તપાસમાં પૂર્વ ટ્રસ્ટી અનિલ મિશ્રાની મુશ્કેલીઓ વધી છે. SITને શંકા છે કે તેમની ભલામણથી ભરતી થયેલા 125થી વધુ કર્મચારીઓની નિમણૂકમાં પણ ગેરરીતિ અને કમિશન લેવાયું હોઈ શકે છે. પોલીસે અત્યાર સુધી 8 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં CCTVથી બચીને દાનની રકમ બાથરૂમ મારફતે બહાર કાઢવાની પદ્ધતિ સામે આવી છે. અનિલ મિશ્રાની સંપત્તિ અને સમગ્ર ભરતી પ્રક્રિયાની પણ તપાસ ચાલી રહી છે.
રામ મંદિરમાં નોકરી માટે પણ કમિશનખોરી?
મોદી કેબિનેટ વિસ્તરણ: ક્યાં પરિબળો નક્કી કરશે મંત્રીઓની એન્ટ્રી-એક્ઝિટ
આગામી મોદી કેબિનેટ વિસ્તરણ અને ફેરબદલ ટૂંક સમયમાં થવા જઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ વિભાગીય રિપોર્ટ કાર્ડ મેળવ્યું હતું, જેને વિસ્તરણની તૈયારીઓ સાથે જોડવામાં આવી રહ્યું છે. 10 જેટલા મંત્રી પદ ખાલી છે, જે વિસ્તરણનું મુખ્ય કારણ છે. આ વિસ્તરણમાં બાગી સાંસદો અને સાથી પક્ષોનું મહત્વ વધશે, જેમ કે TMC અને NDAના સમર્થનમાં આવેલા અન્ય જૂથો. આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સામાજિક અને ક્ષેત્રીય સંતુલન પર પણ ભાર મૂકવામાં આવશે, જ્યારે મંત્રીઓની પસંદગીમાં યોગ્યતા અને કામગીરી મુખ્ય ભૂમિકા ભજવશે.
મોદી કેબિનેટ વિસ્તરણ: ક્યાં પરિબળો નક્કી કરશે મંત્રીઓની એન્ટ્રી-એક્ઝિટ
સુરત નાસીર નગર ડિમોલિશન કેસ: SMC દ્વારા 5 અધિકારીઓ સસ્પેન્ડ
સુરત નાસીર નગર ડિમોલિશન કેસમાં સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 30 મે, 2026ના રોજ નાસીર નગર ખાતે થયેલી મિલકતોના ડિમોલિશનની કામગીરીમાં વિવાદ સર્જાયો હતો. આ મામલે રચાયેલી ખાસ તપાસ સમિતિના અહેવાલ બાદ, ડિમોલિશન કામગીરી સાથે સંકળાયેલા 5 એન્જિનિયરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી વહીવટી શિસ્તનો કડક સંદેશ આપે છે.
સુરત નાસીર નગર ડિમોલિશન કેસ: SMC દ્વારા 5 અધિકારીઓ સસ્પેન્ડ
વસ્ત્રાપુરની ફૂડ કંપનીમાં પૂર્વ HR મહિલાએ કરી લાખો રૂપિયાની ઠગાઈ
અમદાવાદના વસ્ત્રાપુરની એક પ્રતિષ્ઠિત ફૂડ કંપનીમાં પૂર્વ HR મેનેજરે 10 બોગસ કર્મચારીઓના નામે નકલી પ્રોફાઇલ બનાવી તેમના બેંક ખાતામાં પગાર ટ્રાન્સફર કરાવી ₹13.53 લાખની ઉચાપત કરી હોવાનો મામલો સામે આવ્યો છે. સપ્ટેમ્બર 2025થી મે 2026 દરમિયાન કંપની માલિકનો વિશ્વાસ જીતી તેમની સહીઓથી નાણાં ટ્રાન્સફર કરાયા હતા. નવા એકાઉન્ટન્ટના ઓડિટમાં ગોટાળો બહાર આવતા માલિકે વસ્ત્રાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે છેતરપિંડીના મામલે તપાસ શરૂ કરી છે.
વસ્ત્રાપુરની ફૂડ કંપનીમાં પૂર્વ HR મહિલાએ કરી લાખો રૂપિયાની ઠગાઈ
શું સપ્ટેમ્બરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ક્રિકેટ શ્રેણી રમાશે?
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સપ્ટેમ્બર 2026માં ક્રિકેટ સિરીઝ યોજાવાની શક્યતા ફરી વધી છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ભારત સહિતની હોમ સિરીઝના મીડિયા રાઇટ્સ માટે ટેન્ડર જાહેર કરતાં ચર્ચા તેજ બની છે. અગાઉ રાજદ્વારી તણાવ અને T20 વર્લ્ડ કપ મુદ્દે મતભેદને કારણે આ પ્રવાસ સ્થગિત થયો હતો. હવે બાંગ્લાદેશમાં નવી સરકાર અને બદલાયેલા ક્રિકેટ વહીવટને કારણે સંબંધોમાં સુધારાની આશા છે, જોકે અંતિમ નિર્ણય ભારત સરકારની મંજૂરી બાદ જ લેવામાં આવશે.
શું સપ્ટેમ્બરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ક્રિકેટ શ્રેણી રમાશે?
વિધવાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું લાખો રૂપિયાની ઠગાઇ કરી, મેરેજના દિવસે જ મિત્ર ફરાર
અમદાવાદમાં રહેતી 36 વર્ષીય વિધવા મહિલા ફેસબુક પર પરિચયમાં આવેલા મહેસાણાના યુવકની પ્રેમજાળમાં ફસાઈ હતી. આરોપીએ લગ્નનું ખોટું વચન આપી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા અને ધંધાના બહાને રૂ. 19.91 લાખ તેમજ 18 તોલા સોનાના દાગીના પડાવી લીધા. લગ્નના દિવસે કોર્ટમાંથી ફરાર થઈ જતાં છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો. આરોપીના ભાઈએ પણ દાગીના ગિરો મૂક્યા હતા. પીડિતાની ફરિયાદના આધારે નવરંગપુરા પોલીસે બંને ભાઈઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વિધવાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું લાખો રૂપિયાની ઠગાઇ કરી, મેરેજના દિવસે જ મિત્ર ફરાર
ભારત અંગે ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય, 4 કંપની સામેથી પ્રતિબંધ હટાવ્યા
ભારત-અમેરિકા વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા વચ્ચે અમેરિકાએ ભારતીય કંપનીઓને મોટી રાહત આપી છે. રશિયા સાથે વેપારના કારણે પ્રતિબંધિત કરાયેલી ચાર ભારતીય કંપનીઓને અમેરિકાની SDN પ્રતિબંધિત યાદીમાંથી હટાવવામાં આવી છે. આ નિર્ણય વેપાર સંબંધોમાં સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે. ચાર ભારતીય કંપનીમાં RRG Engineering Technologies Pvt Ltd, Lokesh Machines Ltd, Galaxy Bearings Ltd, અને Shaurya Aeronautics Pvt Ltd સામેલ છે.
ભારત અંગે ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય, 4 કંપની સામેથી પ્રતિબંધ હટાવ્યા
મુસ્લિમ સમુદાયને મળતી અનામત પર શુભેન્દુ સરકારની તરાપ, 66 જાતિ OBC ક્વૉટાથી બહાર
પશ્ચિમ બંગાળ વિધાનસભાએ OBC અનામત સંબંધિત બે સુધારા બિલ પસાર કરીને અનામત વ્યવસ્થામાં મોટા ફેરફારો કર્યા છે. નવા કાયદા મુજબ હવે માત્ર 66 સમુદાયોને OBC અનામતનો લાભ મળશે, જ્યારે 77 મુસ્લિમ સમુદાયોને યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ નિર્ણય કલકત્તા હાઈકોર્ટના 2024ના આદેશના પાલનરૂપે લેવાયો છે. સાથે જ પછાત વર્ગ આયોગને વધુ સત્તા અપાઈ છે અને સરકાર માટે તેની ભલામણો બંધનકર્તા બનાવવામાં આવી છે.
મુસ્લિમ સમુદાયને મળતી અનામત પર શુભેન્દુ સરકારની તરાપ, 66 જાતિ OBC ક્વૉટાથી બહાર
અમદાવાદમાં ડમ્પરનો કહેર: ટ્યુશન જતા 16 વર્ષીય કિશોરને ચાર રસ્તે કચડી માર્યો
અમદાવાદના નારોલ-વિશાલા રોડ પર પીરાણા નજીક આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માતમાં 16 વર્ષીય કિશોરનું મોત થયું છે. પીપળજનો રહેવાસી કિશોર ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર પર ટ્યુશન જતો હતો ત્યારે પૂરઝડપે આવેલા ડમ્પરે તેને ટક્કર મારી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત કિશોરને હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું અવસાન થયું. અકસ્માત બાદ ડમ્પરચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે, જ્યારે પરિવાર પર શોકનું વાતાવરણ છવાયું છે.
અમદાવાદમાં ડમ્પરનો કહેર: ટ્યુશન જતા 16 વર્ષીય કિશોરને ચાર રસ્તે કચડી માર્યો
SBI, PNB અને કેનેરા બેંકનું મર્જર થશે?
સોશિયલ મીડિયા પર SBI, PNB અને કેનેરા બેંકના મર્જર (વિલીનીકરણ) ની ખબર વાયરલ થઈ રહી હતી. જોકે, PIB (પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો) ની ફેક્ટ ચેક ટીમે આ દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. સરકારે આવા કોઈપણ મર્જરને મંજૂરી આપી નથી અને આ સમાચાર માત્ર એક પાયાવિહોણી અફવા છે. PIB એ સ્પષ્ટ કર્યું કે વાયરલ થયેલો ફોટો બનાવટી છે. ગ્રાહકોએ RBI ની સત્તાવાર વેબસાઇટ પરથી માહિતીની પુષ્ટિ કરવી જોઈએ અને આવી અફવાઓથી ગભરાવું નહીં.