પુરી જગન્નાથ રથયાત્રાની ટાઈમિંગ મુદ્દે હોબાળો?
પુરી જગન્નાથ રથયાત્રાની ટાઈમિંગ મુદ્દે હોબાળો?
Published on: 15th July, 2026

પુરી જગન્નાથ મંદિર પ્રશાસન (SJTA) અને ઇસ્કોન (ISKCON) વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તારીખો અને સમયને લઈને વિવાદ વધુ વકર્યો છે. SJTA એ ઇસ્કોનના એ દાવાને સખત શબ્દોમાં નકારી કાઢ્યો છે કે કોઈપણ દિવસે રથયાત્રા યોજવી શાસ્ત્રસંમત છે. મંદિર પ્રશાસનનું સ્પષ્ટ કહેવું છે કે, વિદેશમાં નિયત સમય વિના રથયાત્રા યોજવી શાસ્ત્રોના નિયમોની વિરુદ્ધ છે. ઇસ્કોન રાષ્ટ્રીય સંચાર કાર્યાલયની પ્રેસ રિલીઝને SJTA એ ભ્રામક ગણાવી છે.