ડાકોરમાં 254મી રણછોડરાયજીની ભવ્ય રથયાત્રા
ડાકોરમાં 254મી રણછોડરાયજીની ભવ્ય રથયાત્રા
Published on: 15th July, 2026

ડાકોરમાં પરંપરાગત રીતે પુષ્ય નક્ષત્રમાં નીકળતી ભગવાન રણછોડરાયજીની 254મી ભવ્ય રથયાત્રા ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે યોજાઈ. મંગળા આરતી બાદ ભગવાન ચાંદીના રથમાં બિરાજમાન થઈ નગરયાત્રાએ નીકળ્યા. ચરોતર સહિત રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. 'જય રણછોડ, માખણ ચોર' નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. રથયાત્રામાં ભવ્ય રથ, પાલખી, ઘોડા, બેન્ડવાજાં અને ભજન મંડળીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા. વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રસાદ, શરબત અને ભોજનની વ્યવસ્થા કરાઈ.