સંતોના પગલાં પડે ત્યારે પાનખર બની ગયેલું જીવન પણ વસંત ઋતુ બની જાય
સંતોના પગલાં પડે ત્યારે પાનખર બની ગયેલું જીવન પણ વસંત ઋતુ બની જાય
Published on: 30th May, 2026

દક્ષિણ મુંબઈના 12મી ખેતવાડી સ્થિત દિશા રેસીડેન્સી ખાતે જૈન સંત પદ્મદર્શનસૂરિજી મહારાજ અને તેમના શ્રમણવૃંદનું ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરિવારજનો, સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. પોતાના પ્રવચનમાં પદ્મદર્શનસૂરિજીએ જણાવ્યું કે સંતોના સાનિધ્યથી જીવનમાં નવી ઊર્જા અને શાંતિ આવે છે. તેમણે સંપત્તિ કરતાં ગુણોને વધુ મહત્વ આપવાની, જરૂરિયાતમંદોને સહારો આપવાની અને પ્રભુ તથા સદગુરુ પ્રત્યે સમર્પિત જીવન જીવવાની પ્રેરણા આપી હતી. તેમણે કહ્યું કે સાચું ધન આંતરિક ગુણો અને આધ્યાત્મિક સમૃદ્ધિમાં રહેલું છે.