નાન સલાઈ ગામે પાટીદાર સમાજ દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન
નાન સલાઈ ગામે પાટીદાર સમાજ દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન
Published on: 30th May, 2026

લીમખેડા તાલુકાના નાન સલાઈ ગામે પાટીદાર સમાજ દ્વારા પવિત્ર અધિક માસ નિમિતે તા.25થી 31 મે દરમિયાન શ્રીમદ્દ ભાગવત કથા યોજાઈ છે. જેના પ્રારંભે પોથી તથા કળશ યાત્રા યોજાઈ હતી. વ્યાસ પીઠ પર પૂ.સ્વામી અનંત રામજી મહારાજ સંગીતમય શ્રીમદ ભાગવતનું રસપાન કરાવી રહ્યા છે. કથા સાથે રોજ શ્રીમદ્દ ભાગવત કથાના પાત્રોની વેશભૂષા સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો, સુંદર કાંડ, ભજન સંધ્યા, ડાયરો, આનંદનો ગરબો વગેરે પણ યોજાય છે. કથા શ્રાવણ માટે આવતા ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. શ્રીમદ્દ ભાગવત કથામાં દુધિયા, મુવાડા, વરોડ, લીલવા, રણીયાર સહીતના ગામોના પાટીદાર સમાજના ભક્તો કથા શ્રાવણ કરવા આવી રહ્યા છે.