સુનિલ ગાવસ્કરે IPL આયોજકો પર ગુસ્સો ઠાલવ્યો, કહ્યું ગુજરાત ટાઇટન્સ સાથે અન્યાય થયો
સુનિલ ગાવસ્કરે IPL આયોજકો પર ગુસ્સો ઠાલવ્યો, કહ્યું ગુજરાત ટાઇટન્સ સાથે અન્યાય થયો
Published on: 01st June, 2026

IPL 2026 ફાઇનલ પહેલાં એક મોટો વિવાદ સામે આવ્યો છે. પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે IPL મેનેજમેન્ટ પર રોષ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે, ગુજરાત ટાઇટન્સ (GT) સાથે અન્યાય થયો છે અને ફાઇનલ મેચ એક દિવસ માટે મુલતવી રાખવી જોઈતી હતી. ગાવસ્કરના મતે, ગુજરાત ટાઇટન્સને ક્વોલિફાયર-2 બાદ વરસાદના કારણે મુસાફરીમાં વિલંબ થતાં પૂરતો આરામ મળ્યો નહોતો. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ને આરામ માટે વધુ સમય મળ્યો હતો. આ અસમાનતાને કારણે ગુજરાત ટાઇટન્સને નુકસાન થયું છે.