ઓમાન પાસે અમેરિકાના હુમલામાં 3 ભારતીય ખલાસીઓના દુઃખદ મોત
ઓમાન પાસે અમેરિકાના હુમલામાં 3 ભારતીય ખલાસીઓના દુઃખદ મોત
Published on: 11th June, 2026

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઓમાનના દરિયાકિનારે અમેરિકાની સેના દ્વારા MT Settebello ટેન્કર પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત થયા છે. કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્વાનંદ સોનોવાલે આ ઘટનાની પુષ્ટિ કરી દુઃખ વ્યક્ત કર્યું છે. પાલાઉ દેશના ધ્વજ હેઠળ ગલ્ફ ઓફ ઓમાનમાંથી પસાર થઈ રહેલા આ ઓઈલ ટેન્કર પર અમેરિકાએ બ્લૉકેડના ઉલ્લંઘનનો આરોપ મૂક્યો હતો. હુમલા બાદ જહાજમાં આગ લાગતા ત્રણ ભારતીયો ગુમ હતા, જેમના મૃતદેહ મળ્યા છે. 21 અન્ય ક્રૂ મેમ્બર્સને બચાવી લેવાયા છે અને તેમને સ્વદેશ પરત લાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે.