ભારતમાં અબજોપતિઓની સંખ્યા વિશ્વમાં ત્રીજા ક્રમે.
દુનિયાભરમાં દર 24 કલાકે 89 નવા લોકો સુપર-રિચ ક્લબમાં સામેલ થઈ રહ્યા છે, જેમની સંપત્તિ 3 કરોડ ડોલરથી વધુ છે. ભારતમાં શ્રીમંતોની સંખ્યા 2021માં લગભગ 12,000 થી વધીને 2026માં 19,877 થઈ ગઈ, જે 63% નો વધારો છે. અંદાજ છે કે 2031 સુધીમાં દેશમાં અબજોપતિઓ 51% વધીને 313 થઈ જશે. ગ્લોબલ અલ્ટ્રા-વેલ્થમાં ભારતનો હિસ્સો હાલમાં માત્ર 2.8% છે, પણ તે સતત વધી રહ્યો છે.
ભારતમાં અબજોપતિઓની સંખ્યા વિશ્વમાં ત્રીજા ક્રમે.
‘પાકિસ્તાનની મધ્યસ્થતાથી ભારતનું કદ નાનું નહીં થાય’, કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિવેદન
પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં અમેરિકા-ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે ભારતની વિદેશ નીતિ અને પાકિસ્તાન-અમેરિકા વચ્ચેના સંબંધો અંગે નિખાલસ અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, જો પાકિસ્તાન અમેરિકા-ઈરાન વચ્ચે મધ્યસ્થતા કરાવવામાં સફળ થાય તો પણ ભારતનું કદ નાનું નહીં થાય. વાસ્તવમાં કોંગ્રેસ પાકિસ્તાનની મધ્યસ્થતા મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કરતી રહે છે અને મોદી સરકારની વિદેશ નીતિ પર પણ સવાલો ઉઠાવતી રહે છે.
‘પાકિસ્તાનની મધ્યસ્થતાથી ભારતનું કદ નાનું નહીં થાય’, કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિવેદન
વર્લ્ડ બેંકની ચેતવણી: 2050 સુધીમાં શહેરોમાં ગરમીની ચપેટમાં આવતા ગરીબોની સંખ્યા 700% વધશે
વિશ્વ બેંકના નવા રિપોર્ટ અનુસાર, વર્ષ 2050 સુધીમાં અત્યંત ગરમીનો સામનો કરતા શહેરી ગરીબોની સંખ્યામાં 700 ટકાનો ભયાનક વધારો થશે. આ આંકડા સૂચવે છે કે ભવિષ્યમાં અત્યાર કરતા સાત ગણા વધુ લોકો ગરમીના પ્રકોપમાં શેકાશે, જેમાં પશ્ચિમ આફ્રિકા અને દક્ષિણ-પૂર્વ એશિયાના શહેરો સૌથી વધુ જોખમમાં છે. મજૂરો, વૃદ્ધો અને બાળકો હીટવેવનો પ્રથમ શિકાર બનશે. જો ગ્લોબલ વોર્મિંગ સામે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, તો લાંબી અને જીવલેણ ગરમી માનવ જીવન અને અર્થતંત્રને વેરવિખેર કરી દેશે.
વર્લ્ડ બેંકની ચેતવણી: 2050 સુધીમાં શહેરોમાં ગરમીની ચપેટમાં આવતા ગરીબોની સંખ્યા 700% વધશે
અગનભઠ્ઠીમાં શેકાતું ભારત!
વિશ્વના 'ટોપ 100' સૌથી ગરમ શહેરોની યાદીમાં ભારતનો અગ્રેસર 25 એપ્રિલના હવામાન ડેટા મુજબ વૈશ્વિક સ્તરે સૌથી વધુ તાપમાન ધરાવતા 100 શહેરોમાંથી 99 શહેરો ભારતના છે. ટોપના 25 સૌથી ગરમ શહેરોમાંથી 24 તો એકલા ઉત્તર પ્રદેશમાં છે, જ્યારે બાકીનું એક ઉત્તરાખંડમાં છે. એટલે કે, ઉત્તર ભારતના મેદાનો ગ્લોબલ વોર્મિંગનું કેન્દ્રસ્થાન બની ગયા છે. ટોપ 50 ગરમ શહેરોની વાત કરીએ તો આ યાદીમાં એકલા ઉત્તર પ્રદેશના જ 32 શહેર છે, જ્યારે બિહારના 9, ઉત્તરાખંડના 3, મહારાષ્ટ્રના 2 તેમજ ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને નેપાળના 1-1 શહેર છે.
અગનભઠ્ઠીમાં શેકાતું ભારત!
ટ્રમ્પ પર હુમલા અસલી કે નકલી? વ્હાઇટ હાઉસ શૂટિંગ બાદ સોશિયલ મીડિયા પર 'કોન્સ્પિરેસી થિયરી'નું ઘોડાપૂર
૨૦૨૪માં પેન્સિલવેનિયાની રેલીમાં ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા જીવલેણ હુમલાએ વિશ્વને ચોંકાવી દીધું હતું. સ્ટેજ પર લોહીલુહાણ ચહેરે મુઠ્ઠી ઉઠાવતા ટ્રમ્પના દ્રશ્યો ઐતિહાસિક બન્યા, પરંતુ તેની સાથે જ અનેક સાજિશની થિયરીઓ પણ વહેતી થઈ હતી. ઘણા ટીકાકારો અને નેતાઓએ આ હુમલાને ચૂંટણીમાં સહાનુભૂતિ મેળવવા માટેનો 'સ્ક્રિપ્ટેડ' પ્રયાસ ગણાવ્યો હતો. ટ્રમ્પના બીજા કાર્યકાળમાં આ શંકાઓ ફરી તાજી થઈ છે, જેમાં ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર પાયાવિહોણા દાવાઓ દ્વારા આ ઘટનાની સત્યતા પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
ટ્રમ્પ પર હુમલા અસલી કે નકલી? વ્હાઇટ હાઉસ શૂટિંગ બાદ સોશિયલ મીડિયા પર 'કોન્સ્પિરેસી થિયરી'નું ઘોડાપૂર
મધ્ય-પૂર્વમાં સંકટ વચ્ચે ભારત માટે સારા સમાચાર, કાલે ન્યૂઝીલેન્ડ સાથે કરશે મોટી ડીલ પર હસ્તાંક્ષર
એકતરફ અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ અને હોર્મુઝને લઈ વિવાદ ચાલી રહ્યો છે, તો બીજીતરફ ભારત માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ લાંબા સમયના પ્રયાસ બાદ ભારત-ન્યૂઝીલેન્ડ આવતીકાલે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર સહી કરવાના છે. આ ડીલ બાદ બંને દેશો વચ્ચે વેપાર બમણો કરવાનું લક્ષ્યાંક રખાયું છે. PTIના રિપોર્ટ મુજબ, આવતીકાલે 27 એપ્રિલે દિલ્હીના ભારત મંડમમમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાંક્ષર થશે. આ દરમિયાન કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલ અને ન્યૂઝીલેન્ડના વેપાર અને રોકાણ મંત્રી ટૉડ મૈક્લે ઉપસ્થિત રહેશે.
મધ્ય-પૂર્વમાં સંકટ વચ્ચે ભારત માટે સારા સમાચાર, કાલે ન્યૂઝીલેન્ડ સાથે કરશે મોટી ડીલ પર હસ્તાંક્ષર
પંજાબ સરકારે Z+ હરભજનની સિક્યુરિટી હટાવતા ગૃહ મંત્રાલયે આપી CRPF સુરક્ષા, અન્ય સાંસદોને પણ કેન્દ્રનું કવચ
પંજાબના રાજકારણમાં પક્ષપલટા બાદ હવે સુરક્ષાને લઈને નવો વિવાદ છેડાયો છે. પૂર્વ ક્રિકેટર અને રાજ્યસભા સાંસદ હરભજન સિંહના ઘરની બહાર થયેલા વિરોધ પ્રદર્શન અને પંજાબ સરકાર દ્વારા સુરક્ષા હટાવ્યાના ગણતરીના કલાકોમાં જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે હરભજન સિંહ સહિત ભાજપમાં જોડાયેલા તમામ 7 સાંસદોને CRPFની સુરક્ષા પૂરી પાડી છે. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, હરભજન સિંહ ઉપરાંત સંદીપ પાઠક, અશોક મિત્તલ, સ્વાતિ માલીવાલ, રાજેન્દ્ર ગુપ્તા અને વિક્રમજીત સાહનીને હવે કેન્દ્રીય સુરક્ષા દળોનું રક્ષણ મળશે.
પંજાબ સરકારે Z+ હરભજનની સિક્યુરિટી હટાવતા ગૃહ મંત્રાલયે આપી CRPF સુરક્ષા, અન્ય સાંસદોને પણ કેન્દ્રનું કવચ
પંજાબ સરકારે હરભજન સિંહની સિક્યોરિટી પાછી ખેંચી, ઘરની બહારથી જવાનોનો પહેરો હટ્યો.
આમ આદમી પાર્ટી (AAP)માં મોટા ભંગાણ વચ્ચે પંજાબની ભગવંત માન સરકારે પૂર્વ ક્રિકેટર અને રાજ્યસભા સાંસદ હરભજન સિંહની સિક્યોરિટી પાછી ખેંચી લીધી છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે એવી ચર્ચાઓ જોર પકડ્યું છે કે 'ટર્બનેટર' ટૂંક સમયમાં જ AAPને અલવિદા કહીને કેસરીયો ધારણ કરી શકે છે. હરભજન સિંહના અંગત સચિવ (PA) મનદીપ સિંહે જણાવ્યું કે, પંજાબ સરકારે અચાનક કાર્યવાહી કરતા તેમની સંપૂર્ણ પોલીસ સિક્યોરિટી પાછી ખેંચી લીધી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે હરભજન સિંહના નિવાસસ્થાનની બહાર તહેનાત અંદાજે 9 થી 10 જવાનોનો પહેરો હટાવી દેવામાં આવ્યા છે.
પંજાબ સરકારે હરભજન સિંહની સિક્યોરિટી પાછી ખેંચી, ઘરની બહારથી જવાનોનો પહેરો હટ્યો.
ભોપાલ ગેસ કાંડથી ઈન્દિરા ગાંધી સુધી... ઐતિહાસિક ઘટનાઓ કેમેરામાં કેદ કરનારા દિગ્ગજ ફોટોગ્રાફર રઘુ રાયનું નિધન
ભારતના સૌથી પ્રતિષ્ઠિત અને વિશ્વવિખ્યાત ફોટોગ્રાફર રઘુ રાયનું રવિવારે નિધન થયું છે. 83 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનની જાણકારી પરિવારે સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા આપી છે. રઘુ રાયના નિધનથી ભારતીય પત્રકારત્વ અને કળા જગતે એક અમૂલ્ય રત્ન ગુમાવ્યું છે. રઘુ રાયની કારકિર્દીની સૌથી ચર્ચિત અને હૃદયદ્રાવક તસવીર 1984ના ભોપાલ ગેસકાંડની હતી. ગેસ ગળતર બાદ એક માસૂમ બાળકની નિર્જીવ આંખોવાળી તેમની તસ્વીરે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. આ તસવીરમાત્ર એક ફોટો નહીં, પણ કોર્પોરેટ બેદરકારી સામે વૈશ્વિક સ્તરે ઉઠેલો અવાજ બની ગઈ હતી.
ભોપાલ ગેસ કાંડથી ઈન્દિરા ગાંધી સુધી... ઐતિહાસિક ઘટનાઓ કેમેરામાં કેદ કરનારા દિગ્ગજ ફોટોગ્રાફર રઘુ રાયનું નિધન
બંગાળમાં હાઈવૉલ્ટેજ ડ્રામા! માત્ર માત્ર 100 મીટરના અંતરે TMC અને BJPની રેલી
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે ભવાનીપુરમાં શનિવારે ભારે તણાવ જોવા મળ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સુપ્રીમો મમતા બેનર્જી અને ભાજપના નેતા શુભેન્દુ અધિકારીની રેલીઓ માત્ર 100 મીટરના અંતરે યોજાતા બંને પક્ષના કાર્યકરો સામસામે આવી ગયા હતા. પરિસ્થિતિ એટલી હદ સુધી વણસી હતી કે સુરક્ષા દળોએ હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. CM મમતા બેનર્જી જ્યારે જનસભાને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે તેમણે ભાજપ પર તેમની સભામાં ખલેલ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો.
બંગાળમાં હાઈવૉલ્ટેજ ડ્રામા! માત્ર માત્ર 100 મીટરના અંતરે TMC અને BJPની રેલી
ટ્રમ્પ પર હુમલાના પ્રયાસથી PM મોદી ચિંતિત, કહ્યું- લોકશાહીમાં હિંસાને સ્થાન નથી
અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીની એક હોટલમાં આયોજિત હાઈ-પ્રોફાઈલ ડિનર દરમિયાન થયેલા ગોળીબારની ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. આ ઘટના પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આકરો વિરોધ નોંધાવ્યો છે અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિતના નેતાઓ સુરક્ષિત હોવા બદલ રાહત વ્યક્ત કરી છે. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે, "વોશિંગ્ટન ડીસીની એક હોટલમાં બનેલી તાજેતરની સુરક્ષા ઘટના બાદ એ જાણીને રાહત થઈ છે કે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી અને ઉપરાષ્ટ્રપતિ સુરક્ષિત છે
ટ્રમ્પ પર હુમલાના પ્રયાસથી PM મોદી ચિંતિત, કહ્યું- લોકશાહીમાં હિંસાને સ્થાન નથી
'આ ઘટના મને ઈરાન વિરુદ્ધ યુદ્ધ જીતતા નહીં રોકી શકે...' ફાયરિંગ બાદ ટ્રમ્પનું પ્રથમ નિવેદન
'વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનર' દરમિયાન થયેલા ફાયરિંગ બાદ પ્રમુખ ટ્રમ્પે પ્રેસને સંબોધિત કરતા પોતાની અને કેબિનેટની સુરક્ષાની પુષ્ટિ કરી છે. ટ્રમ્પે સિક્રેટ સર્વિસની ત્વરિત કાર્યવાહીના વખાણ કરતા જણાવ્યું કે હુમલાખોર પકડાઈ ગયો છે અને આ સ્થગિત થયેલો કાર્યક્રમ આગામી 30 દિવસમાં ફરી યોજવામાં આવશે.ટ્રમ્પે કહ્યું કે, ફાયરિંગ દરમિયાન સિક્રેટ સર્વિસે અત્યંત બહાદુરી બતાવી. તેમણે મને, મેલાનિયા અને જેડી વેન્સ સહિત તમામ લોકોને તાત્કાલિક સુરક્ષિત બહાર કાઢ્યા તે કાબિલે તારીફ છે.
'આ ઘટના મને ઈરાન વિરુદ્ધ યુદ્ધ જીતતા નહીં રોકી શકે...' ફાયરિંગ બાદ ટ્રમ્પનું પ્રથમ નિવેદન
દેશભરની હેમ રેડિયો સ્પર્ધામાં ગાંધીનગરની ટીમે મેદાન મારી પ્રથમ સ્થાન હાંસલ કર્યું
એમેચ્યોર રેડીયો સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત હિલટોપ કોન્ટેસ્ટમાં દેશભરની 42 ટીમોએ ભાગ લીધો. આ સ્પર્ધામાં ઇન્સ્ટિટયૂટ ઓફ એમેચ્યોર રેડીયો ની ટીમે ભાગ લઈને પ્રથમ સ્થાન મેળવ્યું. સ્પર્ધા અંતર્ગત ટીમોએ પોતાના રાજ્યમાં આવેલા પર્વતો અથવા ઊંચી ટેકરીઓ પર હેમ સ્ટેશન સ્થાપિત કરીને એકબીજા સાથે સંપર્ક સાધ્યો. ગુજરાતની ટીમે પાલીતાણા કદમ્બગિરી કમળાઈ માતા મંદિર નજીક હેમ સ્ટેશન સ્થાપિત કર્યું હતું. ટીમનું નેતૃત્વ રૂચિર પુરોહિત દ્વારા કરાયું હતું. સાથે જ ડો. જગદીશ પંડ્યા અને પ્રવીણ વલેરાએ માર્ગદર્શન આપ્યું.
દેશભરની હેમ રેડિયો સ્પર્ધામાં ગાંધીનગરની ટીમે મેદાન મારી પ્રથમ સ્થાન હાંસલ કર્યું
દેશની Engineering નિકાસમાં મોટો ઘટાડો: પશ્ચિમ એશિયા યુદ્ધ અને Shipping રૂટ બંધ થવાથી અસર.
અમદાવાદ: પશ્ચિમ એશિયા યુદ્ધ અને Shipping રૂટ બંધ થતાં ભારતની Engineering નિકાસમાં મોટો ઘટાડો થયો છે. UAEમાં 66.8% અને સાઉદી અરેબિયામાં 45% ઘટાડો થયો છે. માર્ચમાં UAEમાં Engineering માલની નિકાસ ઘટીને $237.4 મિલિયન થઈ, જે ગયા વર્ષે $714.8 મિલિયન હતી. પરિસ્થિતિ ચિંતાજનક છે.
દેશની Engineering નિકાસમાં મોટો ઘટાડો: પશ્ચિમ એશિયા યુદ્ધ અને Shipping રૂટ બંધ થવાથી અસર.
સોનાચાંદીની જ્વેલરીની નિકાસના Duty Drawback દરમાં વધારો: નિકાસકારોને રાહત.
અમેરિકાના ટેરિફ અને ઈરાન યુદ્ધથી નિકાસને ફટકો પડતા, સરકારે સોનાચાંદીની જ્વેલરીના નિકાસકારોને રાહત આપવા Duty Drawback નિયમો હેઠળ વધુ રિફંડ આપવાનો નિર્ણય કર્યો છે. 24 એપ્રિલના નોટિફિકેશન મુજબ, સોનાની જ્વેલરી અને પાર્ટ્સ માટે નવા Duty Drawback દર લાગુ થશે. આ પગલાથી નિકાસકારોને ફાયદો થશે.
સોનાચાંદીની જ્વેલરીની નિકાસના Duty Drawback દરમાં વધારો: નિકાસકારોને રાહત.
ટેકાના ભાવે ઘઉં ખરીદીનો ટાર્ગેટ 15% વધારીને 3.45 કરોડ ટન કરાયો.
સરકારે ઘઉં ખરીદીનો ટાર્ગેટ 3 કરોડ ટનથી 15% વધારીને 3.45 કરોડ ટન કર્યો. કમોસમી વરસાદને કારણે ઘઉંની ગુણવત્તા બગડી છે અને ખેડૂતોને નીચા ભાવે વેચવાની ફરજ પડી રહી છે. આથી વધુ ખેડૂતો ટેકાના ભાવે વેચશે, જેને ધ્યાનમાં રાખી સરકારે ખરીદી ટાર્ગેટ વધાર્યો હોવાનું મનાય છે.
ટેકાના ભાવે ઘઉં ખરીદીનો ટાર્ગેટ 15% વધારીને 3.45 કરોડ ટન કરાયો.
લેખન કૌશલ્ય કેવી રીતે વિકસાવવું?
જૈનિશભાઈએ એર ફોર્સમાં જવાના બદલે UPSC સિવિલ સેવામાં સફળતા મેળવી. તેમણે લેખન કૌશલ્ય વિકસાવવા માટે વિષયની વ્યાખ્યાઓને 30 વાર લખીને મજબૂત કરી, આંકડાઓ અને અવતરણો સંગ્રહિત કર્યા, અને જવાબોમાં આકૃતિઓનો ઉપયોગ કર્યો. નિબંધમાં મૌલિકતા અને ભાષાકીય દૃઢતા પર ભાર મૂક્યો. ઇન્ટરવ્યૂમાં પ્રમાણિક રહ્યા અને ઑલ ઇન્ડિયા રેન્ક 589 મેળવ્યો.
લેખન કૌશલ્ય કેવી રીતે વિકસાવવું?
ઈરાન-ઇઝરાયેલ-અમેરિકા સંઘર્ષ: કોણે ગુમાવ્યું, કોણે મેળવ્યું?
અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષ સૈન્ય પ્રદર્શન સાથે અબજો ડોલરની રમત છે. શાંતિવાર્તા ટૂંકી ચાલી, વૈશ્વિક બજાર બદલાયું. યુરોપે ફોસિલ ફ્યુઅલના બિલ પેટે 25.70 અબજ ડોલરનો બોજ ઉઠાવવો પડ્યો. ઈરાનની આવક બમણી થઈ, અમેરિકાની ‘બિગ ઓઈલ’ કંપનીઓએ અબજો ડોલરનો નફો કર્યો. IMF મુજબ એશિયાનો વિકાસ દર ઘટશે. યુદ્ધથી રશિયાને ફાયદો, સોનાના ભાવ વધ્યા. ભારતીય શેરબજાર અસ્થિર થયું. સંરક્ષણ બજેટ વધવાથી સામાજિક ખર્ચ ઘટશે.
ઈરાન-ઇઝરાયેલ-અમેરિકા સંઘર્ષ: કોણે ગુમાવ્યું, કોણે મેળવ્યું?
ઈરાન શસ્ત્રસમૃદ્ધ થયું, કાશ્મીરના લોહીની કિંમત પણ ચૂકવાઈ.
આર્મ્સ ડીલર્સની અંધારી દુનિયાનો લેખ: 'ક્રોસિંગ...' જહાજ દુબઈથી નીકળ્યું, CIAના રડાર પર હતું. કન્સાઈન્મેન્ટમાં 'ઇન્ડસ્ટ્રિયલ ઇક્વિપમેન્ટ્સ' હતાં. અમેરિકાએ તોપમારો કરી જહાજને ઘેરી લીધું, જેમાં યુરેનિયમ શુદ્ધિકરણ માટેના સેન્ટ્રિફ્યુઝ હતા. લિબિયાના ગદ્દાફીએ અમેરિકાના દબાણથી કાર્યક્રમ બંધ કર્યો, પાકિસ્તાને ચોરી કરીને અણુબોમ્બ બનાવ્યો. કાશ્મીરમાં ઉગ્રવાદ માટે દલ્લો વાપર્યો. પાકિસ્તાને વેચેલી ટેક્નોલોજીનો લાભાર્થી ઈરાન પણ હતું.
ઈરાન શસ્ત્રસમૃદ્ધ થયું, કાશ્મીરના લોહીની કિંમત પણ ચૂકવાઈ.
આયર્લેન્ડ: એમરાલ્ડ ટાપુ
આયર્લેન્ડ, હરિયાળીથી ભરપૂર ભૂપ્રદેશ માટે 'એમરાલ્ડ ટાપુ' તરીકે ઓળખાય છે, યુરોપમાં એક અનોખો દેશ છે. પ્રવાસન સ્થળ તરીકે આયર્લેન્ડમાં પ્રાકૃતિક સૌંદર્ય માણવા માટે ટ્રિપનું પ્લાનિંગ કરવું, ડ્રાઇવિંગ માટે લાયસન્સ મેળવવું, શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો, અને VAT refund મેળવવાનું ભૂલવું નહિં. કપડાં સમજી વિચારીને પેક કરવા. આઇરિશ લોકો સાથે વિવેકપૂર્ણ વ્યવહાર રાખવો.
આયર્લેન્ડ: એમરાલ્ડ ટાપુ
AI સ્લોપ: બાળકો અને બાળપણ પરનું સંકટ
મોટાભાગના ઘરમાં બાળક રડતું હોય ત્યારે મોબાઇલ આપી દેવાય છે, પરંતુ ઇન્ટરનેટ પર 'AI Slop' નામની નવી આફત છે, જે AIથી બનેલું બેકાર કન્ટેન્ટ છે. આ કન્ટેન્ટ બાળકોના મગજ પર ખતરનાક અસર કરે છે, વાસ્તવિકતાથી દૂર કરે છે, એકાગ્રતા ઘટાડે છે અને ખોટી માહિતી આપે છે. માતાપિતાએ સતત મોનિટરિંગ કરવું, સ્ક્રીન ટાઈમ ઘટાડવો અને બાળકોને વાસ્તવિક દુનિયા સાથે જોડવા જરૂરી છે.
AI સ્લોપ: બાળકો અને બાળપણ પરનું સંકટ
સેક્સ્યુઅલ ફેન્ટસી: અપરાધ કે રોગ નથી
ફેન્ટસી એટલે વાસ્તવિકતાથી દૂરની કલ્પનાઓ; બાળકો અને પુખ્તોની ફેન્ટસીમાં તફાવત હોય છે. સેક્સ્યુઅલ ફેન્ટસી માત્ર શારીરિક ઈચ્છા નથી, પરંતુ મનોવિજ્ઞાન માટે રસપ્રદ વિષય છે. મનુષ્યની દબાયેલી ઈચ્છાઓ સપનાં કે ફેન્ટસી બનીને બહાર આવે છે. આધુનિક મનોવિજ્ઞાન મુજબ, અનકોન્શિયસ મનની ભાષા પ્રતીકોથી લાગણીઓ વ્યક્ત કરે છે. ફેન્ટસી કનેક્શન, એક્સાઈટમેન્ટ અને કન્ટ્રોલ જેવી જરૂરિયાતો સાથે જોડાયેલી છે. આ ફેન્ટસી ક્યારેક ડાર્ક ફેન્ટસી બની ગુના તરફ દોરી જાય છે.
સેક્સ્યુઅલ ફેન્ટસી: અપરાધ કે રોગ નથી
નવા સપ્તાહમાં સેન્સેક્સ 77000થી 79500 વચ્ચે અથડાશે એવી શક્યતા, વૈશ્વિક પરિબળો અને પરિણામોની અસર રહેશે.
Iran-America વચ્ચે યુદ્વ વિરામ લંબાવી Trumpએ આશ્ચર્યમાં મૂક્યા. ક્રૂડ ઓઈલના ભાવ વધીને 105 ડોલર થયા. Geopolitical ટેન્શન અને કોર્પોરેટ પરિણામોની નેગેટીવ અસર છે. IT ઉદ્યોગની સ્થિતિ નબળી હોવાથી IT શેરોમાં ઘટાડો થયો છે. Pakistanના યુદ્વના અંત માટે પ્રયાસોથી બજાર રિબાઉન્ડ થઈ શકે છે. પરિસ્થિતિમાં આગામી સપ્તાહમાં બજારમાં રિકવરી આવી શકે છે.
નવા સપ્તાહમાં સેન્સેક્સ 77000થી 79500 વચ્ચે અથડાશે એવી શક્યતા, વૈશ્વિક પરિબળો અને પરિણામોની અસર રહેશે.
છોટાઉદેપુરની પ્રાઈમ કો-ઓપ. બૅન્કમાં લૉકર સુવિધા શરૂ.
છોટાઉદેપુરમાં Prime Co-op. Bank દ્વારા આધુનિક લૉકર સુવિધા શરૂ કરાઈ. નગરજનોને વાજબી ભાવે સુરક્ષિત લૉકર મળશે. 22 એપ્રિલે માજી રેલ રાજ્ય મંત્રી નારણભાઇ રાઠવા અને નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી દ્વારા ઉદ્ઘાટન કરાયું. MD આદિલ ગાંધીએ બેન્કની 47 શાખાઓ અને ભવિષ્યના વિઝન વિશે વાત કરી. Branch Manager ચિરાગ શાહે મહેમાનોને આવકાર્યા.
છોટાઉદેપુરની પ્રાઈમ કો-ઓપ. બૅન્કમાં લૉકર સુવિધા શરૂ.
જૂનાગઢમાં દેશની પ્રથમ ચૂંટણી, લોકમતથી ભારત સાથે અમર નિર્ણય.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે, જૂનાગઢમાં લોકશાહીના પાયા નંખાયા. આઝાદી સમયે નવાબે પાકિસ્તાન સાથે જોડાણ જાહેર કર્યું, પણ સરદાર પટેલે જૂનાગઢનું ભારતમાં વિલીનીકરણ કર્યું. 20 ફેબ્રુઆરી 1948ના રોજ 'જનમત' લેવાયો, જેમાં લોકોએ ભારત તરફી મતદાન કર્યું. Sardar Patelની હાજરીમાં આ ઐતિહાસિક ચૂંટણી થઈ અને લોકોએ લોકશાહીને મજબૂત બનાવી. આ ઘટના ભારતના ઈતિહાસમાં ગૌરવવંતી છે.
જૂનાગઢમાં દેશની પ્રથમ ચૂંટણી, લોકમતથી ભારત સાથે અમર નિર્ણય.
1997ની હત્યાનો આરોપી, જામીન પર ફરાર, 25 વર્ષ પછી પકડાયો.
દિલ્હી પોલીસે 1997ના હત્યા કેસના ફરાર આરોપી સલીમ અહેમદને 25 વર્ષે પકડ્યો. આરોપીને આજીવન કેદ થઈ હતી, પણ જામીન પર ભાગી ગયો હતો. તેણે પોતાને મૃત જાહેર કર્યો અને UP, હરિયાણામાં ઓળખ છુપાવીને રહેતો હતો. UP પોલીસે તેને સુરક્ષા આપી હતી. દિલ્હી પોલીસને આ સફળતા મળી.
1997ની હત્યાનો આરોપી, જામીન પર ફરાર, 25 વર્ષ પછી પકડાયો.
HIV પોઝીટીવ લગ્નોત્સુક પસંદગી મેળો: 10 રાજ્યોના 650 ઉમેદવારો, 12 લગ્ન નક્કી.
ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વિથ HIV એઇડ્સ દ્વારા HIV પોઝિટિવ યુવક-યુવતીઓ માટે જીવનસાથી પસંદગી મેળાનું આયોજન થયું. આ મેળાનો હેતુ HIV પોઝિટિવ વ્યક્તિઓને સન્માનજનક જીવન જીવવાની પ્રેરણા આપવાનો છે. 14મા મેળામાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના 650 ઉમેદવારોએ ભાગ લીધો, જેમાં 12 યુવક-યુવતીના લગ્ન નક્કી થયા. HIV સંક્રમણની રોકથામ અને નવી પેઢીને HIV મુક્ત કરવાનો આ પ્રયાસ છે.
HIV પોઝીટીવ લગ્નોત્સુક પસંદગી મેળો: 10 રાજ્યોના 650 ઉમેદવારો, 12 લગ્ન નક્કી.
મહારાણી ગાયત્રી દેવીના ઐતિહાસિક ખગોળીય કમ્પ્યુટરની UKમાં હરાજી થવાની છે.
જયપુરના મહારાણી ગાયત્રી દેવીના કલેક્શનનું ૧૭મી સદીનું કાંસાનું નક્ષત્રયંત્ર, જેને ખગોળીય કોમ્પ્યુટર માનવામાં આવે છે, તેની આગામી સપ્તાહે લંડનમાં Sotheby's દ્વારા હરાજી થશે. જહાંગીરના સમયકાળમાં બનેલા આ ઇસ્લામિક આર્ટના અદભુત નમૂનાની હરાજીમાં 15 થી 25 લાખ પાઉન્ડ ઉપજવાની આશા છે. આ નક્ષત્રયંત્ર લીલામીમાં કેન્દ્રસ્થાને રહેશે.
મહારાણી ગાયત્રી દેવીના ઐતિહાસિક ખગોળીય કમ્પ્યુટરની UKમાં હરાજી થવાની છે.
પંજાબમાં 28 અને દિલ્હીમાં 22 MLA આપ છોડે તેવી અટકળો: રાજકીય ગરમાવો.
પંજાબ આપમાં અસંતોષ અને BJP દ્વારા ઓપરેશન લોટસના દાવા વચ્ચે, પંજાબમાં 28 અને દિલ્હીમાં 22 MLA આપ છોડીને BJPમાં જોડાય તેવી અટકળો છે. રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોને અયોગ્ય જાહેર કરવાની આપની માગણીથી રાજકીય માહોલ ગરમાયો છે. સ્વાતિ માલિવાલે કેજરીવાલના સંરક્ષણમાં આપમાં ભ્રષ્ટાચર વધ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
પંજાબમાં 28 અને દિલ્હીમાં 22 MLA આપ છોડે તેવી અટકળો: રાજકીય ગરમાવો.
બ્રાઝિલનો વામન પેરા સ્વિમર ગેબ્રિયલ અરાઉહો (Gabriel Araujo)ની વિરાટ સિદ્ધિ
ફોકોમેલિયાથી પીડિત, હાથ વિનાના ગેબ્રિયલએ પેરાલિમ્પિક સ્વિમિંગમાં પાંચ ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો. પડકારો સામે હિંમતથી લડી પરિસ્થિતિ બદલવાની હામ રાખનાર માટે એવરેસ્ટ પણ ટેકરી સમાન છે. ધીરજ અને પરિશ્રમથી અકલ્પનીય સફળતા મળે છે. ફરિયાદને બદલે પડકાર પાર કરવામાં સમય આપો, ગેબ્રિયલની જેમ ચમત્કારિક ઊંચાઈને આંબી શકાય છે.