'તો હું આત્મહત્યા કરી લઇશ...' પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરને કેમ આવુ બોલ્યા હતા મનમોહન સિંહ
'તો હું આત્મહત્યા કરી લઇશ...' પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરને કેમ આવુ બોલ્યા હતા મનમોહન સિંહ
Published on: 13th July, 2026

ભારતના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) એસ.વાય. કુરેશીએ પોતાના નવા પુસ્તક 'India and I: A Hundred Memories, Not a Memoir' માં એક ચોંકાવનારો કિસ્સો વર્ણવ્યો છે. વર્ષ 2012માં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન, તત્કાલીન કાયદા મંત્રી સલમાન ખુર્શીદના અનામત અંગેના નિવેદન બાદ ચૂંટણી પંચે તેમની આકરી નિંદા કરી હતી. આ કાર્યવાહીથી નારાજ કેટલાક કોંગ્રેસી નેતાઓએ ચૂંટણી પંચ પર ટિપ્પણી કરી હતી. આ બાબતે ECની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચતી જોઈને પૂર્વ PM ડૉ. મનમોહન સિંહે કુરેશીને મળ્યા હતા. PMએ કહ્યું હતું કે જો તેમને આ બાબતની ખબર હોત, તો તેઓ સંબંધિત મંત્રીઓને સખત ઠપકો આપત અને જો સરકાર ECને નબળું પાડતી હોવાનું લાગતું હોય, તો તેઓ આત્મહત્યા કરી લેશે.