રેશન સિસ્ટમમાં મોટા ફેરફાર: હવે પ્રતિ વ્યક્તિ 7 કિલો, પરિવાર દીઠ મહત્તમ 35 કિલો અનાજ
રેશન સિસ્ટમમાં મોટા ફેરફાર: હવે પ્રતિ વ્યક્તિ 7 કિલો, પરિવાર દીઠ મહત્તમ 35 કિલો અનાજ
Published on: 24th June, 2026

દેશની જાહેર વિતરણ પ્રણાલી અને રેશનિંગ વ્યવસ્થામાં 2026 થી મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા (સંશોધન) વિધેયક-2026 નો મુસદ્દો જાહેર કર્યો છે, જેમાં અંત્યોદય અન્ન યોજના (AAY) હેઠળ અનાજ વિતરણની પદ્ધતિ બદલવાનો પ્રસ્તાવ છે. નવા નિયમ મુજબ, હવે પ્રતિ વ્યક્તિ 7 કિલોગ્રામ અનાજ મળશે, પરંતુ પરિવાર દીઠ મહત્તમ 35 કિલોગ્રામની મર્યાદા રહેશે. આ પગલાથી ખાદ્ય સુરક્ષા વધુ મજબૂત અને ન્યાયસંગત બનશે, અને મોટા પરિવારોને ફાયદો થશે. સરકાર આ પ્રસ્તાવ પર 13 જુલાઈ 2026 સુધી જનતા પાસેથી સૂચનો મંગાવી રહી છે.