ITR ભરવાના છેલ્લા બે દિવસ!
ITR ભરવાના છેલ્લા બે દિવસ!
Published on: 30th August, 2026

પાંચ મોટા નુકસાન ટાળવા માટે આવકવેરા રિટર્ન (ITR) ભરવું ફરજિયાત છે. ભાવનગર જિલ્લામાં અંદાજે ચાર લાખ કરદાતાઓમાંથી લગભગ દોઢ લાખ લોકોએ હજુ સુધી ITR ફાઇલ કર્યું નથી. નિયત તારીખ ૩૧ ઓગસ્ટ નજીક આવી રહી છે. દેશભરમાં ૭ કરોડ અને સુરતમાં ૧૦ લાખથી વધુ લોકોએ ITR ભરી દીધું છે, ત્યારે ભાવનગરમાં બાકી રહેલા કરદાતાઓએ ધ્યાન આપવું જરૂરી છે. નિયત સમયમર્યાદા બાદ ITR ભરવાથી દંડ, વ્યાજ, નુકસાન આગળ લઈ જવાની અક્ષમતા, રિફંડમાં વિલંબ અને સ્ક્રુટિની જેવી સમસ્યાઓ થઈ શકે છે.