રામમંદિરમાં અમલદારશાહી દખલગીરી નહીં, CEO નિમણૂક પહેલાં સંતોનો વિરોધ
રામમંદિરમાં અમલદારશાહી દખલગીરી નહીં, CEO નિમણૂક પહેલાં સંતોનો વિરોધ
Published on: 29th June, 2026

અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં પુન:રચના અને વહીવટને લઈને વિવાદ સર્જાયો છે. મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ IAS સ્તરના CEOની નિમણૂક સૂચવી હતી, જેને અયોધ્યાના સંત સમાજે સખત શબ્દોમાં નકારી કાઢી છે. સંતોએ 'અમલદારશાહી વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ' પસાર કર્યો અને રામ મંદિરને સત્તાનું સંસ્થાન કે કોર્પોરેટ સેટ-અપ ન બનાવવાની અપીલ કરી. ચંપત રાયના રાજીનામા અને વહીવટી પ્રક્રિયા અંગે પણ સંતોએ પ્રશ્નો ઉઠાવ્યા છે. કરણી સેનાએ પણ નૃપેન્દ્ર મિશ્રા પર ગેરરીતિના આક્ષેપો કર્યા છે.