ભાજપ નેતાની પુત્રવધૂનો આપઘાત
ભાજપ નેતાની પુત્રવધૂનો આપઘાત
Published on: 26th August, 2026

સુરતમાં ભાજપના વગદાર નેતા શશીસિંઘની પુત્રવધૂ નિધિ રાજપૂતે પતિના લગ્નેત્તર સંબંધો અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો. આપઘાત પહેલાં નિધિએ દોઢ પાનાની સુસાઇડ નોટ લખી હતી, જેને તેના સાસરિયાઓ નાશ ન કરે તે માટે તેણે પોતાના અંતર્વસ્ત્રોમાં છુપાવી દીધી હતી. આ નોટમાં તેણે પતિ સૌરભના અન્ય સ્ત્રી સાથેના સંબંધો વિશે જણાવ્યું હતું અને આ પીડા સહન થતી ન હોવાથી અંતિમ પગલું ભર્યું હોવાનું લખ્યું હતું. પોસ્ટમોર્ટમ સમયે આ નોટ મળી આવતાં પોલીસે પતિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.