વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જની સુનાવણી ન કરવા મુદ્દે CJI: "આવી કોઈ અરજી જ નહોતી થઈ"
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જની સુનાવણી ન કરવા મુદ્દે CJI: "આવી કોઈ અરજી જ નહોતી થઈ"
Published on: 24th July, 2026

ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન અંગે મીડિયા દ્વારા કરાયેલા 'ખોટા રિપોર્ટિંગ' સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સ્પષ્ટતા કરી કે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જની ઘટના અંગે કોર્ટમાં કોઈ ઔપચારિક અરજી દાખલ કરવામાં આવી નહોતી, માત્ર એક રજૂઆત કરવામાં આવી હતી. મીડિયાએ આ રજૂઆતને અરજી ગણાવીને ખોટો અહેવાલ રજૂ કર્યો હતો. CJI એ જણાવ્યું કે આ મામલે માત્ર મૌખિક ઉલ્લેખ થયો હતો અને કોર્ટની રજિસ્ટ્રીમાં કોઈ કાગળ કે અરજી દાખલ થઈ નહોતી.