નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 402 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી સુરક્ષાના શપથ લેવડાવ્યા
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 402 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી સુરક્ષાના શપથ લેવડાવ્યા
Published on: 24th June, 2026

ગાંધીનગરના અડાલજ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ સંપન્ન થયો. આ કાર્યક્રમમાં ત્રણ સરકારી શાળાઓના 402 બાળકોને પ્રવેશ અપાયો હતો. તેમણે શિક્ષકો અને વાલીઓને સહયોગ આપવા, બાળકોને ટ્રાફિક સુરક્ષા વિશે જાગૃત કરવા અને હેલ્મેટ પહેરવા માટે માતા-પિતાને પ્રેરિત કરવા ભાર મૂક્યો. રાજ્યમાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવના 24મા વર્ષની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. તેમણે વિદ્યાર્થીઓને બ્રશ કરવા, હાથ ધોવા અને સ્વચ્છતા જેવી ટેવો કેળવવા કહ્યું. ઉપરાંત, બાળકો દ્વારા વાલીઓને હેલ્મેટ પહેરવાની જીદ કરવાના શપથ લેવડાવવામાં આવ્યા, જેથી અકસ્માતો ટાળી શકાય.