પાટણ: વડાવલીનો ફકીર પરિવાર નિવાસ બચાવવા માટે કલેક્ટર કચેરી બહાર ધરણાં પર
પાટણ: વડાવલીનો ફકીર પરિવાર નિવાસ બચાવવા માટે કલેક્ટર કચેરી બહાર ધરણાં પર
Published on: 31st May, 2026

ચાણસ્મા તાલુકાના વડાવલી ગામના ફકીર પરિવાર દ્વારા મુસ્લિમ જમાત ટ્રસ્ટના પાંચ વહીવટદારો પર મિલકત ખાલી કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ પરિવારે જણાવ્યું છે કે તેમની પાસે વડાવલી ગામમાં મકાન અને દરગાહ તરફ્થી મળેલી જમીન છે. આ મામલે કલેક્ટર અને પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત કર્યા બાદ, પરિવાર પાટણ કલેક્ટર કચેરી બહાર ઉપવાસ પર ઉતર્યો છે, ન્યાય અને પોલીસ સુરક્ષાની માંગ કરી રહ્યો છે.