વડાપ્રધાનના આગમન પૂર્વે વડોદરામાં દેશભક્તિનો માહોલ
વડાપ્રધાનના આગમન પૂર્વે વડોદરામાં દેશભક્તિનો માહોલ
Published on: 08th September, 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા આગમન પૂર્વે કાર્યક્રમ સ્થળે દેશભક્તિનો અદભૂત માહોલ જોવા મળ્યો હતો. ઉરી સર્જિકલ સ્ટ્રાઇક થીમ પર આધારિત નાટક અને નૃત્ય રજૂ કરાયા, જેણે ઉપસ્થિત લોકોમાં જોશ અને દેશભક્તિનો સંદેશ ફેલાવ્યો. આ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને દેશભક્તિના ગીતો પર ઉત્સાહિત થયા હતા. રજૂઆતો દરમિયાન ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ના નારાઓએ સમગ્ર સ્થળ ગુંજાવી દીધું હતું, ખાસ કરીને યુવાનોમાં દેશભક્તિનો જુસ્સો જોવા મળ્યો.