IPLમાં વિવાદિત Impact Player Rule હટાવવાની તૈયારી
IPLમાં વિવાદિત Impact Player Rule હટાવવાની તૈયારી
Published on: 31st August, 2026

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં Impact Player Rule ને લઈને ઉઠતા સવાલો વચ્ચે BCCI એ તમામ 10 ફ્રેન્ચાઈઝી ટીમો પાસેથી સત્તાવાર ફીડબેક માગ્યું છે. 31 ઓગસ્ટ સુધીમાં ટીમોએ પોતાનો અભિપ્રાય બોર્ડને મોકલવો પડશે. મળેલા સૂચનોના આધારે આગામી સીઝન માટે આ નિયમમાં ફેરફાર કે તેને હટાવવા અંગે નિર્ણય લેવાઈ શકે છે. ઘણા નિષ્ણાતો, ચાહકો, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોએ પણ આ નિયમ સામે અસહમતી દર્શાવી છે.