રાજગઢીમાં નાગપંચમીએ ભક્તોનો કીડિયારું
રાજગઢીમાં નાગપંચમીએ ભક્તોનો કીડિયારું
Published on: 02nd September, 2026

પાલનપુરના રાજગઢીમાં આવેલું પ્રાચીન નાગણેચી માતાનું મંદિર વર્ષમાં માત્ર નાગપંચમી અને નવરાત્રિની આઠમે જ ભક્તો માટે ખુલે છે. નાગપંચમી નિમિત્તે સવારે મંદિર ખુલતાં ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા, જેના કારણે મેળા જેવો માહોલ સર્જાયો હતો. પૂજારીના જણાવ્યા મુજબ, આ મંદિરનો ઇતિહાસ ઈ.સ. 1628 થી જોડાયેલો છે, જ્યારે નાગણેચી માતાની પૂજા અહીં શરૂ થઈ હતી. ગર્ભગૃહમાં શિવલિંગ પરના સ્વસ્તિક, ચંદ્ર અને ક્રોસના ચિહ્નો સર્વધર્મ સમભાવ દર્શાવે છે. પરંપરાગત રીતે નાગપંચમીએ વૈદિક હવન પણ કરાય છે.