રાધાષ્ટમી ૨૦૨૬: કૃષ્ણ પૂજામાં રાધાનું મહત્વ અને ઉજવણીનો શુભ દિવસ
રાધાષ્ટમી ૨૦૨૬: કૃષ્ણ પૂજામાં રાધાનું મહત્વ અને ઉજવણીનો શુભ દિવસ
Published on: 17th September, 2026

કૃષ્ણ જન્માષ્ટમીના ૧૫ દિવસ બાદ, ભાદ્રપદ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ રાધાષ્ટમી ઉજવાય છે. ધાર્મિક માન્યતા અનુસાર, રાધા રાણીની કૃપા વિના શ્રીકૃષ્ણની ભક્તિ અપૂર્ણ છે. ૨૦૨૬માં આ પવિત્ર પર્વ ૧૯ સપ્ટેમ્બર, શનિવારના રોજ ઉજવવામાં આવશે. અષ્ટમી તિથિ ૧૮ સપ્ટેમ્બર બપોરે ૧:૦૦ વાગ્યે શરૂ થઈ ૧૯ સપ્ટેમ્બર બપોરે ૩:૨૬ વાગ્યે સમાપ્ત થશે. પૂજાનો શુભ સમય સવારે ૧૧:૦૧ થી બપોરે ૧:૨૮ સુધીનો રહેશે. રાધા શ્રીકૃષ્ણની આંતરિક શક્તિ અને પરમ પ્રિય ગણાય છે.