ગોધરા આરાધના યુવક મંડળ દ્વારા ઇકો-ફ્રેન્ડલી ગણપતિ સ્થાપના
ગોધરા આરાધના યુવક મંડળ દ્વારા ઇકો-ફ્રેન્ડલી ગણપતિ સ્થાપના
Published on: 17th September, 2026

ગોધરામાં આરાધના યુવક મંડળે સતત બીજા વર્ષે માટીની ઇકો-ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ સ્થાપી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો છે. કુદરતી વાતાવરણ, વન્યજીવો અને હરિયાળીને જોડતી થીમ પર બનેલો મંડપ ૧.૫ મહિનામાં તૈયાર થયો. પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડો. હરેશ દૂધાત, APMC ચેરમેન માલવદીપસિંહ, નગરપાલિકા પ્રમુખ જશોદાબેન પ્રજાપતિ અને કારોબારી ચેરમેન આનંદભાઈ ઘડિયાળી સહિતના અગ્રણીઓએ મંડળની મુલાકાત લઈ સભ્યોને ટ્રોફી અને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કર્યા. આ ઇકો-ફ્રેન્ડલી મૂર્તિ ઉમંગભાઈ પટેલે તૈયાર કરી છે.