ગણેશ પૂજામાં તુલસી કેમ નથી ચઢાવવામાં આવતી?
ગણેશ પૂજામાં તુલસી કેમ નથી ચઢાવવામાં આવતી?
Published on: 17th September, 2026

હાલમાં ચાલી રહેલા ગણેશ ઉત્સવ દરમિયાન ભગવાન ગણેશની વિશેષ પૂજા કરવામાં આવે છે. ભગવાન ગણેશને દૂર્વા, મોદક, બિલ્વ પત્ર, શમીના પાન જેવા પદાર્થો પ્રિય છે, પરંતુ ગણેશ પૂજનમાં તુલસી અર્પણ કરવામાં આવતી નથી. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના મતે, પૌરાણિક કથા અનુસાર તુલસીએ ભગવાન ગણેશ સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ગણેશજી દ્વારા લગ્નનો ઇનકાર કરવા પર તુલસીએ તેમને બે લગ્ન થવાનો શાપ આપ્યો, જેના પ્રત્યુત્તરમાં ગણેશજીએ તુલસીના લગ્ન અસુર શંખચૂડ સાથે થવાનો શાપ આપ્યો. આ જ કારણે ગણેશ પૂજામાં તુલસી દળ વર્જિત છે.