દ્વારકામાં જગત મંદિરથી ગોમતી ઘાટ સુધી માનવમેદની, શહેરમાં ટ્રાફિક જામ
દ્વારકામાં જગત મંદિરથી ગોમતી ઘાટ સુધી માનવમેદની, શહેરમાં ટ્રાફિક જામ
Published on: 26th May, 2026

પવિત્ર અધિક માસ અને ઉનાળુ વેકેશનના કારણે ધર્મનગરી દ્વારકામાં યાત્રાળુઓ અને પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે. જગત મંદિર, ગોમતી ઘાટ, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, શિવરાજપુર બીચ અને સુદર્શન સેતુ જેવા સ્થળોએ ભક્તો અને સહેલાણીઓની ભારે ભીડ ઉમટી પડી છે. કાળઝાળ ગરમી હોવા છતાં, "જય દ્વારકાધીશ"ના જયઘોષ સાથે લોકો દર્શન માટે લાઈનોમાં ઉભા રહ્યા હતા. આ અસાધારણ પ્રવાસી સંખ્યાને કારણે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી, જેના પગલે અનેક માર્ગો પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.