ઈબોલાની અસર: અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરો માટે સેલ્ફ ડેક્લેરેશન ફરજિયાત.
ઈબોલાની અસર: અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરો માટે સેલ્ફ ડેક્લેરેશન ફરજિયાત.
Published on: 26th May, 2026

ઈબોલા વાઈરસ રોગ (EVD) સંબંધિત આંતરરાષ્ટ્રીય જાહેર આરોગ્ય કટોકટીને ધ્યાનમાં રાખીને, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં આવતા તમામ મુસાફરો માટે વિશેષ આરોગ્ય સુરક્ષાના પગલાં લાગુ કરવામાં આવ્યા છે. એરપોર્ટ મેનેજમેન્ટ દ્વારા તમામ એરલાઈન્સ અને સંબંધિતો માટે જાહેર આરોગ્ય માર્ગદર્શિકાઓ જારી કરવામાં આવી છે. સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ (SDF) એ મુસાફર દ્વારા ભરવામાં આવતું આરોગ્ય સંબંધિત ઘોષણાપત્ર છે, જેમાં તેમની મુસાફરી, સંપર્ક અને આરોગ્ય સ્થિતિની વિગતો શામેલ છે.