જામનગરમાં દશામાના વ્રતનો પ્રારંભ, 21મીએ પૂર્ણાહુતિ અને 22મીએ મૂર્તિ વિસર્જન
જામનગરમાં દશામાના વ્રતનો પ્રારંભ, 21મીએ પૂર્ણાહુતિ અને 22મીએ મૂર્તિ વિસર્જન
Published on: 12th August, 2026

છોટી કાશી જામનગરમાં શ્રદ્ધાળુઓમાં દશામાના વ્રતને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે અષાઢ વદ અમાસથી દસ દિવસીય વ્રતનો પ્રારંભ થયો છે. આ દરમિયાન ભક્તો માતાજીની મૂર્તિની સ્થાપના કરી પૂજા-અર્ચના, જાપ અને પાઠ જેવી ધાર્મિક વિધિઓ કરશે. જામનગર અને આસપાસના વિસ્તારોમાં ધાર્મિક માહોલ સર્જાશે. દશામાને લોકદેવી, મોમાઈ માતા, પાર્વતી માતા તથા મહામાયાના સ્વરૂપ સાથે જોડવામાં આવે છે. 21મી ઓગસ્ટે વ્રતની પૂર્ણાહુતિ અને 22મી ઓગસ્ટે મૂર્તિ વિસર્જન થશે.