જન્માષ્ટમી પર દ્વારકાધીશનો દિવ્ય શૃંગાર!
જન્માષ્ટમી પર દ્વારકાધીશનો દિવ્ય શૃંગાર!
Published on: 04th September, 2026

જન્માષ્ટમી નિમિત્તે ભગવાન દ્વારકાધીશનો દિવ્ય શૃંગાર કરવામાં આવ્યો છે. આ વર્ષે અમદાવાદથી પસંદ કરાયેલા કાપડમાંથી વૃંદાવનના કારીગરોએ 5 મહિનાની મહેનતે તૈયાર કરેલા કેસરી રંગના 'ચાગદાર વાઘા' અને રાજકોટના કારીગરોએ ઘડેલો સોનાનો 'પાટિયારા હાર' ધરાવાશે. આ વાઘા પર સોનેરી તારથી જરદોશી વર્ક, રત્નો અને સ્વરોસ્કી ડાયમંડનું જડતર છે. 'પાટિયારા હાર' ચાંદીના પેન્ડન્ટ પર કુંદન, મોતી અને હીરા જડી સોનાનો ઢોળ ચડાવી તૈયાર કરાયો છે.