મોરબીના હળવદમાં 600 વર્ષ પુરાણું સ્વયંભૂ ગૌલોકેશ્વર મહાદેવ શિવાલય
મોરબીના હળવદમાં 600 વર્ષ પુરાણું સ્વયંભૂ ગૌલોકેશ્વર મહાદેવ શિવાલય
Published on: 03rd September, 2026

મોરબી જિલ્લાના હળવદ શહેરમાં 600 વર્ષથી વધુ પુરાણું સ્વયંભૂ ગૌલોકેશ્વર મહાદેવ શિવાલય આવેલું છે, જે સમગ્ર ઝાલાવાડ પંથકના ભાવિકો માટે આસ્થાનું પ્રતિક બન્યું છે. લોકવાયકા મુજબ, એક ગાય નિયમિતપણે જંગલની એક તલાવડી પાસે દૂધ આપતી હતી, જ્યાં પાછળથી શિવલિંગ મળી આવ્યું. આ સ્થળે શિવાલયનું નિર્માણ થયું અને તે ગૌલોકેશ્વર મહાદેવ તરીકે પ્રખ્યાત થયું. હાલમાં પણ આ મંદિર ભાવિકોથી ધમધમે છે.