શિયાળ ગામ સોમેશ્વર મહાદેવના સાનિધ્યમાં નાગ પંચમીના મેળામાં ભક્તિ
શિયાળ ગામ સોમેશ્વર મહાદેવના સાનિધ્યમાં નાગ પંચમીના મેળામાં ભક્તિ
Published on: 02nd September, 2026

બગોદરા ખાતે શિયાળ ગામના 700 વર્ષ જૂના સોમેશ્વર મહાદેવ મંદિરમાં નાગપંચમી નિમિત્તે ભવ્ય લોકમેળાનું આયોજન થયું. શ્રાવણ વદ પાંચમના પવિત્ર દિવસે આયોજિત આ મેળામાં આસપાસના 30થી વધુ ગામોના હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. ગામલોકોએ પરંપરા મુજબ સફેદ ધજાઓ અર્પણ કરી, ધૂન ગાઈ અને મહિલાઓએ ગરબા રજૂ કર્યા. પઢાર સમાજના લોકો પરંપરાગત પહેરવેશમાં જોવા મળ્યા. ચકડોળ, જમ્પિંગ રાઈડ્સ, ખાણી-પીણીના સ્ટોલોએ મેળાની રોનક વધારી, જે ભક્તિ અને મનોરંજનનો અનોખો સંગમ બન્યો.