શ્રાવણ માસ: સોમનાથ મંદિરમાં ખાસ તૈયારી
શ્રાવણ માસ: સોમનાથ મંદિરમાં ખાસ તૈયારી
Published on: 11th August, 2026

શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મંદિરમાં ભક્તો માટે વિશેષ આયોજન કરાયું છે. પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધીદેવ સોમનાથ મહાદેવના દર્શન માટે તા. 13 ઓગસ્ટ થી 11 સપ્ટેમ્બર સુધી 30 દિવસીય શિવ મહોત્સવ યોજાશે. આ સમયગાળા દરમિયાન, ખાસ કરીને શ્રાવણના ચાર સોમવાર, તહેવારો અને અન્ય શુભ દિવસોએ મંદિરના દ્વાર સવારે 4 વાગ્યે ખોલવામાં આવશે. ભક્તોની સુવિધા માટે, સોમનાથ ટ્રસ્ટે રહેવા, ભોજન અને દર્શનની ઉત્તમ વ્યવસ્થા કરી છે. દિવ્યાંગો અને વૃદ્ધો માટે પણ ખાસ સુવિધાઓ ઉભી કરાઈ છે.