પુનિયાદ ગામે તારકેશ્વર મહાદેવ મંદિરના પાટોત્સવની ભવ્ય ઉજવણી.
પુનિયાદ ગામે તારકેશ્વર મહાદેવ મંદિરના પાટોત્સવની ભવ્ય ઉજવણી.
Published on: 02nd May, 2026

શિનોર તાલુકાના પુનિયાદ ગામે તારકેશ્વર મહાદેવ મંદિરે ભક્તિમય અને ધાર્મિક વિધિ વિધાન સાથે પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આચાર્ય વ્રજેશભાઈ મહારાજ દ્વારા રુદ્રયાગ શરૂ કરાયો, જેમાં ગામના નવ દંપતિઓએ ભાગ લીધો. બપોરે મહા પ્રસાદી પછી આનંદનો ગરબો અને સાંજે ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. રાત્રે ભજન સંધ્યા યોજાઈ.