સગાપરાધાર કૈલાસ ટેકરી સ્થાનમાં રામકથા: કળા/વિદ્યા મૂળરૂપમાં હશે તો પરમાત્માના ઘટ સુધી પહોંચાશે - મોરારિબાપુ.
સગાપરાધાર કૈલાસ ટેકરી સ્થાનમાં રામકથા: કળા/વિદ્યા મૂળરૂપમાં હશે તો પરમાત્માના ઘટ સુધી પહોંચાશે - મોરારિબાપુ.
Published on: 26th April, 2026

ગોહિલવાડમાં સગાપરા ધાર શ્રી કૈલાસ ટેકરી સ્થાનમાં રામકથા ગાન કરતાં મોરારિબાપુએ જણાવ્યું કે, કોઈપણ કળા કે વિદ્યા પોતાના મૂળ રૂપમાં હશે, તો તે પરમાત્માના ઘટ સુધી પહોંચશે. 'માનસ શિવ સંકલ્પ' રામકથામાં મોરારિબાપુએ મન રૂપી રૂમાલની પાંચ ગાંઠોનું મહત્વ સમજાવ્યું. આ કથા દરમિયાન રાજકુમારોના નામકરણ અને લગ્ન પ્રસંગોનું ચિંતન કરવામાં આવ્યું. રામકથામાં સંતો અને ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા. Ramkatha સાથે પ્રકાશનોનું લોકાર્પણ થયું.