સ્વામિનારાયણ મંદિરના 205 સંતોના નામ મતદાર યાદીમાંથી ગાયબ: ગંભીર ત્રુટિ!
સ્વામિનારાયણ મંદિરના 205 સંતોના નામ મતદાર યાદીમાંથી ગાયબ: ગંભીર ત્રુટિ!
Published on: 27th April, 2026

ભુજ પાલિકાની ચૂંટણીમાં મતદાર યાદીમાં મોટી ભૂલ સામે આવી, જેમાં સ્વામિનારાયણ મંદિરના આશરે 205 સંતોના નામ યાદીમાંથી ગાયબ હતા. SIR હેઠળ નામ સુધારણા વખતે પિતાનું નામ ફરજિયાત હતું, જ્યારે સંતો ગુરુનું નામ લખે છે. આથી ચૂંટણી તંત્રની ભૂલના કારણે સંતો મતદાનથી વંચિત રહ્યા, અને મંદિરમાં ચર્ચા થઈ કે ‘શરણે આવીને પાટીયા(નામો) કાઢી નાખ્યા’.