ગાંધીનગરમાં વૈશાખી વાયરા.
ગાંધીનગરમાં વૈશાખી વાયરા.
Published on: 12th May, 2026

ગાંધીનગરમાં ઉનાળાની સિઝનમાં બીજીવાર ગરમીનો પારો 44 ડીગ્રીએ પહોંચી ગયો હતો. ગત વર્ષમાં આખી સિઝનમાં એક જ વાર 44 ડીગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે આ વખતે 26 એપ્રિલના રોજ 44.2 ડીગ્રી બાદ આજે ફરી ગરમીનો પારો 44 ડીગ્રી નોંધાયો હતો. બપોરના સમયે શહેર જાણે કે અગનભઠ્ઠીમાં શેકાયું હોય તે રીતે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયાં હતા. કાળઝાળ ગરમીને પગલે બપોરના સમયે શહેરના માર્ગો સૂમસાન થઈ ગયા હતા.