ગુજરાતમાં મેઘતાંડવ: 2 દિવસમાં 35 મોત
ગુજરાતમાં મેઘતાંડવ: 2 દિવસમાં 35 મોત
Published on: 25th July, 2026

ગુજરાતમાં છેલ્લા 2 દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 35 લોકોના મોત થયા છે, રાહત અને સફાઈ કામગીરી ચાલી રહી છે. ગુજરાત ઉપરાંત જમ્મુ-કાશ્મીર, દિલ્હી અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં પણ ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. ગુજરાતમાં પૂર અને વરસાદનો હાહાકાર સર્જાયો છે. પાટણના રાધનપુર-સુઇગામ હાઇવે પર વાહનવ્યવહાર બંધ છે. ખેતરોમાં પાણી ભરાતાં ખેડૂતો ફસાયા છે, વીજ પુરવઠો અને રોડ કનેક્ટિવિટી ખોરવાઈ ગઈ છે. અમદાવાદ, સાણંદ, મોરબી, સુરત અને ખેડામાં પણ ભારે વરસાદથી નુકસાન થયું છે. જમ્મુ-કાશ્મીરમાં શ્રી માતા વૈષ્ણો દેવી યાત્રા ફરી શરૂ થઈ છે અને NH-44 ખુલ્લો મુકાયો છે.