જામનગર જિલ્લામાં વરસાદી માહોલ યથાવત્
જામનગર જિલ્લામાં વરસાદી માહોલ યથાવત્
Published on: 17th September, 2026

જામનગર શહેર અને જિલ્લામાં વરસાદી વાતાવરણ જળવાઈ રહ્યું છે. જોડિયા, કાલાવડ અને જામજોધપુર તાલુકામાં હળવી મેઘમહેર થઈ હતી. જોડિયામાં 5 મિમી, કાલાવડમાં 4 મિમી અને જામજોધપુરમાં 3 મિમી વરસાદ નોંધાયો. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં ચાલુ રહ્યા. આકાશ કાળા વાદળોથી ઘેરાયેલું હોવાથી આગામી કલાકોમાં વધુ વરસાદની શક્યતા છે. ખેડૂતો માટે આ વરસાદ 'કાચું સોનું' સાબિત થઈ રહ્યો છે, જેથી ખુશીનો માહોલ છે.